Daily Archives: October 19, 2015


નામર્દ – વનુ પાંધી 3

ધીરેન્દ્ર મહેતાના સંપાદનમાં ગુજરાત સાહિત્ય અકાદમીએ ‘વનુ પાંધીની સાગરકથાઓ’નું પ્રકાશન ૨૦૦૯માં કર્યું, રઘુવીરભાઈ ચૌધરી આ વિશે કહે છે તેમ નોકરીને કારણે થયેલી રઝળપાટે તેમની અનુભવસમૃદ્ધિ વધારી એની વિગતો પણ ધીરેન્દ્રભાઇએ સંપાદકીયમાં આપી છે. સાગરકથાઓ એ વનુ પાંધીનું આગવું પ્રદાન છે. ‘છીપલાં’ અને ‘આવળ-બાવળ’ એ બે વાર્તાસંગ્રહો ઉપરાંત ગ્રંથસ્થ ન થયેલી પણ જુદાં જુદાં સામિયકોમાં પ્રગટ થયેલી સત્તર વાર્તાઓ તેમજ એક અપ્રગટ વાર્તામાંથી ધીરેન્દ્રભાઇએ તેર સાગરકથાઓ પસંદ કરી છે. તેમની વાર્તા ‘સઢ અને સુકાન’ અત્યંત પ્રસિદ્ધ થઈ છે, તો રણની જીવનશૈલી, આગવી પરિસ્થિતિઓ અને તેમાં લોકજીવન સાથેના પ્રસંગ વર્ણવતી પ્રસ્તુત વાર્તા ‘નામર્દ’ પણ વાચકના મનમાં આગવી છાપ ઊભી કરે છે.