Daily Archives: October 5, 2015


તિમિરપંથી – ધ્રુવ ભટ્ટ 3

આ વાત છે એક અજાણ્યા પણ જાણીતા લોકોની, નવલકથા ‘તિમિરપંથી’ એક એવા વર્ગની વાત કરે છે જેને કાયદાએ જન્મથી જ ગુનેગાર ગણ્યા છે તથા સભ્ય સમાજે જેને અવગણી કાઢ્યા છે. લેખકે અનેક વિષમ પરિસ્થિતિઓમાં કપરા સ્થળોએ જઇ આ નવલકથા લખી છે. છારા અથવા તો આડોડિયા તરીકે ઓળખાતા મનુવંશીઓને મળીને તેમની વાતો, તેમના રીવાજો, તેમનું જીવન અને તેમની લાગણીઓને સમજવા લેખકે પ્રયત્ન કર્યો છે. રાતના અંધારામાં સિફતથી પોતાનું કામ કરીને ઓગળી જતા લોકો વિશેની વાયકાઓ અને ૬૪ કળામાં એક કળા ગણાયેલ આ માનવસમાજ વિશેની વાત ધ્રુવભાઈ આ પુસ્તકમાં કરે છે.