Daily Archives: August 20, 2015


છંદબદ્ધ ખાડાવિરહ અને મંદીનો મંદાક્રાંતા – સ્નેહલ મુઝુમદાર 8

વ્યવસાયિક કારણોસર તો સમયાંતરે સ્નેહલભાઈને મળવાનું થયેલું, પણ એમના છંદબદ્ધ સ્વભાવનો અને સંગીતની અનોખી પારખુ નજર તથા વાદનમાં તેમની નિયમિતતા અને હથોટી વિશે જાણ્યા પછી તેમની સાથે વાતો કરવાની અનોખી મજા આવવા લાગી છે. ગત અઠવાડીયે પીપાવાવ ઑડીટ માટે આવ્યા ત્યારે સાથે તેમનું પુસ્તક ‘છંદ કે સ્વચ્છંદ’ પુસ્તક લાવ્યા હતા જે તેમણે મને ભેટ આપ્યું. વસંતતિલિકા, શાર્દૂલવિક્રીડિત, મંદાક્રાંતા, શિખરિણી તથા અનુષ્ટુપ છંદોમાં તેમણે આજના સમયની વાતો વણી છે. કાંદાવિરહનું કલ્પાંતકાવ્ય હોય કે મેનુઅષ્ટક, અખંડ ખાંસીનું ખંડકાવ્ય હોય કે કર સુંદરીનો કેકારવ હોય કે સેલફોન સોતન ન શયતાન, બરકતે બટાટા હોય કે લગાવ્યો જે લાફો – છંદબદ્ધ પ્રસ્તુતિ વડે તેમણે આ બધા જ મનોહારી વિષયોને અનન્ય રીતે મનોરંજક બનાવી પ્રસ્તુત કર્યા છે. આજે તેમાંથી બે પ્રકરણો – છંદબદ્ધ ખાડાવિરહ અને મંદીનો મંદાક્રાંતા પ્રસ્તુત કર્યા છે. પુસ્તક ભેટ આપવા બદલ સ્નેહલભાઈનો ખૂબ ખૂબ આભાર.