ત્રણ માઈક્રોફિક્શન વાર્તાઓ.. – અરુણા દેસાઈ 26
સૂરત લેખિકા મંચના સદસ્યા એવા શ્રી અરુણાબેન દેસાઈની ત્રણ માઈક્રોફિક્શન વાર્તાઓ આજે પ્રસ્તુત થઈ રહી છે. દીકરીઓને તેમને મનગમતા પથ પર અગ્રસર થવાની વાત હોય, અનાથાશ્રમ અને વૃદ્ધાશ્રમની વ્યાખ્યાઓ બદલવાનો વિચાર હોય કે સુધારાની શરૂઆત હોય, વાર્તાઓ સરળ અને સરસ થઈ છે. અક્ષરનાદને આ કૃતિઓ પાઠવવા બદલ અરુણાબેનનો આભાર અને તેમની કલમને શુભકામનાઓ.