Daily Archives: March 26, 2015


મોરલીધર પરણ્યો.. – ઝવેરચંદ મેઘાણી 2

‘એ… સોમચંદ જેઠાના ઘરનું સાગમટે નોતરું છે!’

‘એ… ભાઈ, કાળા હેમાણીના ઘરનું ન્યાતની વાડીમાં તમારે સાગમટે નોતરું છે!’

‘એ… પ્રાણજીવન વેલજીના ઘરનું સાકરનું પિરસણું લઈ લેજો!’

રોજ સવાર પડે અને શેરીએ-શેરીએ આવા લહેકાદાર સૂરો છંટાય, ગામમાં વિવાડો હતો. ન્યાતના મહેતાઓ હાથમાં લાંબો ખરડો લઈને ઘેર ઘેર આ નોતરાં ફેરવતાં હતા.