Daily Archives: January 20, 2015


ફીનિક્સ (સ્વ. શિવકુમાર આચાર્ય વિશે) – અશ્વિન ચંદારાણા 2

‘બહુમુખી પ્રતિભા ધરાવતા સૌમ્ય પ્રકૃતિના અલગારી જીવ એવા સ્વ. શિવકુમાર ભાઈએ પત્રકારત્વ ઉપરાંત લોકસાહિત્ય, નાટ્ય, ટૂંકી વાર્તા, તેમન ફિલ્મનિર્માણ ક્ષેત્રે પણ મહત્વનું કામ કર્યું છે.’ ગુજરાત રાજ્યના તત્કાલીન મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના આ શબ્દો જે પુસ્તકના ચોથા પાને છે એ અનોખું સ્મૃતિગ્રંથ સમું પુસ્તક ‘અહીંથી ગયા એ રણ તરફ..’ – એક મલંગ શિવ આચાર્યનાં મરશિયાં’ જે શ્રી મીનાક્ષીબેન અને અશ્વિનભાઈ ચંદારાણાની બેલડી દ્વારા સંપાદિત થયેલું છે તેનો પ્રસ્તાવનાસમ શ્રી અશ્વિનભાઈનો આ લેખ પુસ્તક વિશેની અનેક બાબતો ઉઘાડી આપે છે. અક્ષરનાદને પુસ્તક ભેટ કરવા બદલ તેમનો આભાર.