Daily Archives: August 23, 2014


ચિંતન વૈવિધ્ય – કાકા કાલેલકર 1

કાકાસાહેબ દૈનંદિની વાસરી ઘણાં વર્ષો લખતાં રહેલા, તેમને થતું કે જીવન પરત્વે, સમાજ કે ઈતિહાસ પરત્વે ચિંતન કરીએ અને એ વાટે પોતાના પૂરતું જીવનનું તત્વજ્ઞાન ઘડીએ. આવા રોજીંદા ચિંતનને તેમણે ડાયરીના પાનાંની મર્યાદામાં બાંધીને લખવાનું શરૂ કર્યું. વર્ષ ૧૯૬૮માં તેમણે બસો સત્તાવીસ દિવસ માટે આવું ચિંતન નોંધ્યું છે, તેમાંથી ત્રણ મોતી આજે પ્રસ્તુત કર્યા છે. પ્રસ્તુત લેખ ‘પ્રાસંગિક પ્રતિસાદ’ જે તે દિવસનું ચિંતન – પુસ્તકમાંથી સાભાર લેવાયા છે. અત્રે પ્રસ્તુત ત્રણ મણકા વિવિધ વિષય જેમ કે, રિવાજી દુઃખ વિશે, ધર્મને બદલે લોકકેળવણી વિશે અને વિશ્વાસમૂલક આસ્તિકતા વિશે લખાયેલા ટૂંકા લેખો છે.