Daily Archives: March 4, 2014


પાંચ અદ્રુત ગઝલો… – રાકેશ હાંસલિયા 13

આજે પ્રસ્તુત છે રાકેશભાઈ હાંસલિયાની વધુ પાંચ અદ્રુત ગઝલરચનાઓ. ‘જીવે છે’ ગઝલ બે અંતિમો વચ્ચે જીવાતા જીવનની અને તેના અંતિમોની વાત મૂકે છે, હ્રદયની સંવેદનહીનતા વિશેની વાત તેઓ બીજી ગઝલમાં કહે છે, મનની પ્રાપ્તિ છતાં અતૃપ્તિની ભાવનાનો પડઘો તેમની ત્રીજી ગઝલમાં ઉભરે છે, તો ચોથી ગઝલ આશંકાઓના સાચા થવાનો ભય વ્યક્ત કરે છે. પાંચમી અને અંતિમ ગઝલના એક જ શે’રમાં રાકેશભાઈ બધુંય કહી દે છે,

પાંપણો ચુપચાપ સાંભળતી રહી,
બોલતા’તા અશ્રુઓ સપના ઉપર

ટૂંક સમયમાં રાકેશભાઈનો નવો ગઝલસંગ્રહ ‘જે તરફ તું મને લઈ જશે..’ પ્રકાશિત થઈ રહ્યો છે, એ બદલ અક્ષરનાદના તમામ વાચકો અને અમારા તરફથી શુભકામનાઓ. સર્જનની આ પરંપરા આમ જ સદાય વિસ્તરતી અને વિકસતી રહે એવી શુભકામનાઓ અને અક્ષરનાદને આ ગઝલો પાઠવવા બદલ રાકેશભાઈનો ખૂબ ખૂબ આભાર.