Daily Archives: February 5, 2014


ગુજરાતી સાહિત્ય પરિષદનું ૪૭મું અધિવેશન – યોગેશ વૈદ્ય 13

ગુજરાતી સાહિત્ય પરિષદનું ૪૭મું અધિવેશન તા. ૨૪-૨૫-૨૬ ડિસેમ્બરે યોજાઈ ગયું. નિસ્યંદન સામયિકના સંપાદક અને કવિમિત્ર યોગેશભાઈ તેમાં ભાગ લેવા આણંદ પહોંચ્યા હતા. આ અધિવેશનના આયોજન પ્રત્યે ઉદાસીનતા અને પાંખી હાજરી જેવા કારણોને લીધે તેમને મનમાં ખૂંચતી કેફિયત તેઓ અહીં રજૂ કરી રહ્યા છે. શાની છે આ ઉદાસીનતા? આ અભિગમ આપણને ક્યાં લઈ જઈ રહ્યો છે ? આવા તો અનેક પ્રશ્નો તેમના મનમાં અનુત્તર રહી જવા પામ્યા છે, પ્રયત્ન કરીએ આપણી રીતે તેના ઉત્તર આપણી પોતાની જાતને આપવાનો… નિસ્યંદનના સંપાદકીય તરીકે લખાયેલ પ્રસ્તુત લેખ અક્ષરનાદને પાઠવવા બદલ યોગેશભાઈનો ખૂબ ખૂબ આભાર તથા શુભકામનાઓ.