Yearly Archives: 2014


તૃતીય ગણેશ પીઠ-પાલીના બલ્લાલેશ્વર ગણપતિ – પૂર્વી મોદી મલકાણ 5

બલ્લાલેશ્વર ગણપતિ એ મહારાષ્ટ્રના અષ્ટવિનાયકના મંદિરોમાં તૃતીય ગણપતિ ગણાય છે. આ મંદિર મહારાષ્ટ્રના રાયગઢ જીલ્લામાં આવેલ છે. આ સ્થાન સરસગઢ કિલ્લા અને અંબા નદીની પાસે આવેલ છે. અષ્ટવિનાયકમાં એક વિઘ્નેશ્વરાયજી છે જેમણે દેવોના દુશ્મન વિઘ્નાસુરનું નામ ધારણ કરેલું છે. પરંતુ કેવળ એક બલ્લાલેશ્વર ગણેશજી જ એવા ગણેશજી છે જેઓએ પોતાના ભક્તનું નામ ધારણ કર્યું છે.


પંચાત કરવાની કળા.. – રમેશ ચાંપાનેરી 12

પારકાની પંચાત કરવી એ પણ એક કળા છે..!

એ તો આપણો વહેમ છે બકા.. કે, આપણે બહુ સારાં માણસ છીએ. બાકી પંચાત કરતાં ના આવડતું હોય તો, જાતને ‘ ઝીરો ‘ જ માનજો! આપણે હજી પંચાતીયાઓ જેટલાં ‘નાડ-પારખું’ નથી! આ લોકો એવાં ટેસ્ટી હોય કે આપણું ભેજું ફ્રાઈ કર્યા વગર ચાવી જાય! આપણા ડ્રાય ભેજાનું તો એમની આગળ પાંચિયું પણ નહીં આવે! ‘પંચાતિયા’ એટલે પારકી પંચાતના સ્ટૉકીસ્ટ અને હોલ-સેલ ડીલર! એનો ધંધો જ એ! જ્યાં સુધી કોઈની પંચાત ના કરે ત્યાં સુધી એમના ચોઘડિયાં સુધરે જ નહીં!


આંતરખોજની અભિવ્યક્તિ (કાવ્યાસ્વાદ) – તરુણ મહેતા 7

ભાવનગર સંસ્કારનગરી તરીકેની ઓળખ ઊભરી રહ્યું છે. આ ભૂમિ પર અનેક કવિઓ સંસ્થાઓ અને સેવાકીય પ્રવૃતિને માનવતાની મહેકને જિવંત રાખી છે. પસ્તુત ગઝલ કવિયિત્રિ શ્રી જિજ્ઞાબેન ત્રિવેદી છે. જેમણે ‘અર્થના આકાશમાં’ સંગ્રહથી ભાવઓનું ધ્યાન ખેચ્યું છે. અનેક સામાયિકો, દૂરદર્શન અને આકાશવાણીમાં પણ તેની સર્જકતા પુરસ્કૃત થઈ છે. તેમની કવિતામાં ભાવસંવેદનની ગહેરાય અને અર્થની અગણિત શક્યતાઓ પડી છે.


શિક્ષણની પ્રવર્તમાન પરિસ્થિતિ : પરીક્ષાલક્ષી કે વાસ્તવલક્ષી? – કંદર્પ પટેલ 4

વર્તમાન શિક્ષણની કંગાળ પરિસ્થિતિ પર નજર ઠરાવતા એવું જણાઈ આવે કે, વિદ્યાર્થીઓ યંત્ર છે, શિક્ષકો કંટ્રોલર છે અને શિક્ષણસંસ્થાઓ પોલીટીક્સ ઈવેન્ટ્સના અડ્ડાઓ છે. આટ-આટલા વર્ષો કહેવાતા ઉચ્ચ કોર્સનો અભ્યાસ કર્યા પછી પણ જે વિદ્યાર્થીને ‘કાબેલ’ બનાવવાને બદલે ભવિષ્યના વિચાર માત્રથી ડરતો ‘કાયર’ બનાવે એ કઈ રીતે સાચું શિક્ષણ હોઈ શકે? થીંક ઓન ધેટ. ૨+૨=૪ થાય એ કદાચ દરેકને ભર ઊંઘમાંથી ઉઠાડીને પૂછીએ તો પણ આવડશે પરંતુ બીમાર વ્યક્તિને રાત્રે હોસ્પિટલ કેમ લઇ જવો એ નહિ આવડે. વોટ્સએપ-ફેસબુક પર લાંબા-લચક અઢી કિલોમીટરના ‘ગુડ નાઈટ’ ના મેસેજ પોસ્ટ કરતા આવડશે પરંતુ મમ્મી-પપ્પાને ‘જય શ્રીકૃષ્ણ’ કહેતા કોણ શીખવશે? દરેક મેચ-ખેલાડીનો સ્કોર યાદ હશે પરંતુ પોતાની માનસિકતાનો સ્કોર કેટલે પહોચ્યો એ માપ્યું કે? કાલાંતરે માનવી પર અલગ-અલગ અસરો થઇ છે.


પથિક કોઈપણ કામ પૂરું નથી કરતો..(૪) – ડૉ. નીના વૈદ્ય (બાળઉછેર કાઉન્સેલીંગના અનુભવો – ૯) 1

આપણે જોયું કે પથિકનાં કિસ્સામાં પથિકની નકારાત્મક વર્તણુંક માટે ઘણાં કારણો જવાબદાર હતાં. પથિકને રોજીંદી દરેક બાબત કરવામાં કંટાળો આવતો હતો. રોજીંદા કામ કરવા માટે જરૂરી ચાલકબળનો પથિકમાં અભાવ હતો પરંતુ ટીવી જોવાનું એક કામ પથિક ખૂબ જ સમયસર અને જરૂરિયાત કરતાં ઘણું વધારે કરતો. કદાચ આના કારણે જ અન્ય કામો પ્રત્યે પથિકને અરુચિ થઇ ગઇ હતી. થોડા વર્ષો પહેલાં ગુજરાતમિત્રમાં દર બુધવારે ‘પરવરિશ’ શીર્ષક હેઠળ કોલમ લખવાનો મોકો મળ્યો હતો ત્યારે ‘ટીવીને IDIOT BOX કેમ કહેવાય છે?’ એવો એક લેખ બાળકોનાં અનુસંધાનમાં લખ્યો હતો આજે પણ લખવાનું તો બાળકોનાં અનુસંધાનમાં જ છે છતાં એક વાત જે લાંબા સમયથી મનમાં ખટક્યાં કરે છે તે જણાવી રહી છું.


સર્વોચ્ચ રહસ્ય (અધ્યાત્મ કથા) – ભાણદેવજી 3

એક રાજા હતો. રાજાને વિચાર આવ્યો કે હજારો વર્ષથી આ સૃષ્ટિ પર જ્ઞાનની અપરંપાર વૃદ્ધિ થઈ છે. આ સર્વ જ્ઞાનની જાળવણી થવી જોઈએ. સર્વ જ્ઞાન ગ્રંથસ્થ થવું જોઈએ. રાજાએ પંડિતોની સભા ભરી અને પંડિતોને આદેશ આપ્યો – “સૃષ્ટિના સર્વજ્ઞાનને ગ્રંથસ્થ કરો”
પંડિતોને એક મોટો સમૂહ કામે લાગી ગયો. વર્ષૉની મહેનત પછી એક મોટી ગ્રંથમાળા તૈયાર થઈ, પંડિતોએ આ ગ્રંથમાળા રાજાની સમક્ષ રજૂ કરી.
રાજાએ આ વિશાળ ગ્રંથસમૂહ જોયો. આ ગ્રંથમાળા તો ખૂબ સરસ બની હતી, પરંતુ તે વિશાળકાય હતી. રાજાએ પંડિતોને કહ્યું – “અરે! આ તો અતિ વિશાળ ગ્રંથમાળા છે. આટલો મોટો ગ્રંથસમૂહ કોણ વાંચી શકે? ??


મામેરું – ભારતી કટુઆ 13

લીલાએ બે વર્ષ પહેલાં ભરેલી મગની ટાંકી આડી કરી. છેક અંદર હાથ નાખી રેતી અને રાખમાં દાબેલા મગ પીપના મોં સુધી આણ્યા.ચાળણીમાંથી રેતી અને રાખ ચળાઈ ગયા પછી માંડ એકાદ કિલો જેટલા મગ વધ્યા હતા. રેતીમાંથી ઊડતી રાખથી આખા શરીરે ભભૂતી લગાવી હોય તેવું લાગતું હતું.

‘લે હવે તો મગેય ખૂટ્યા’ એવું વિચારતાં આકાશ સામે જોવાઇ ગયું. આંગણાંમાં દોડાદોડી કરતાં છોકરાને જોઇ તે મનોમન બોલવા લાગી, ‘આ બિચારાને ખબરેય નથી કે ઉપરવાળો સામું જોશે તો ઠીક, નહીતર રોટલા માટે દોડવું પડશે.’

લીલાએ સૂપડામાં મગ નાખ્યા એ વખતે જ ડેલીની સાંકળ ખખડી. ‘અત્યારે વળી કોણ આવ્યું.’ લીલાએ પગને વળગી પડેલા છોકરાને કાખમાં તેડ્યો અને…


ત્રણ પદ્યરચનાઓ.. – મિતુલ ઠાકર 16

મિતુલભાઈની રચનાઓ આ પહેલા પણ અક્ષરનાદ પર પ્રસ્તુત થઈ છે, આજે તેઓ ત્રણ પદ્યરચનાઓ લઈને ઉપસ્થિત થયા છે. અક્ષરનાદને તેમની રચનાઓ પાઠવવા બદલ મિતુલભાઈનો આભાર અને તેમની કલમને શુભકામનાઓ.


અનાથનું એનિમેશન ભાગ ૧ (સત્યકથા આધારિત) – સુરેશ જાની 14

જાણીતા બ્લોગર અને અમેરિકાવાસી શ્રી સુરેશભાઈ જાનીના સર્જનો નેટવિશ્વ સાથે સંકળાયેલ દરેકને માટે સહજ પ્રેરણાસ્ત્રોત બની રહે છે. આજે તેઓ સત્યઘટના પર આધારિત આવી જ એક વાત લઈને આપણી સમક્ષ ઉપસ્થિત થયા છે. અક્ષરનાદને પ્રસ્તુત કૃતિ પાઠવવા અને પ્રસિદ્ધ કરવાની તક આપવા બદલ સુરેશભાઈનો ખૂબ ખૂબ આભાર અને તેમની કલમને શુભકામનાઓ.


કર્મનો સિદ્ધાંત અને પ્રમાણિકતા – સંજય દૂધાત 12

મારી સાથે પીપાવાવ ડિફેન્સ એન્ડ ઑફશોર એન્જીનીયરીંગ કંપનીમાં શિપ રિપેર વિભાગમાં પ્રોજેક્ટ મેનેજર તરીકે કાર્યરત શ્રી સંજયભાઈ દૂધાત સુંદર લેખન કરે છે એવી ખબર થોડાક દિવસ પહેલા જ થઈ, તેમનો આ પેખ ‘ઘર એક તીર્થ’ સામયિકમાં પ્રસ્તુત થયેલો જે તેમણે પાઠવ્યો હતો. આજે એ જ લેખ અહીં પ્રસ્તુત કર્યો છે. પ્રમાણિકતાની અને કર્મના સિદ્ધાંતની વિશદ વાત તેઓ મૂકે છે. તેમની કલમને અનેક શુભકામનાઓ…


મહારાષ્ટ્રનું ગણેશ શક્તિ પીઠ મયૂરેશ્વર મોરગાંવ.. – પૂર્વી મોદી મલકાણ 10

અષ્ટ વિનાયક ક્ષેત્રોમાં મોરગાંવને પ્રમુખ માનવામાં આવે છે. પૂનામાં બારામતી તાલુકામાં કન્હા નદીના તટ્ટ પર ભુસ્વાનંદભુવન અર્થાત્ મોરગાંવ ક્ષેત્ર આવેલ છે. આ ક્ષેત્રનો આકાર મયૂર જેવો છે તેથી આ સ્થળનું નામ મોરગાંવ પડ્યું. અમેરીકાથી ટૂંક સમય માટે ભારત આવેલા પૂર્વીબેન મોદી મહારાષ્ટ્રના ગણેશ શક્તિપીઠ મયૂરેશ્વરની તેમની મુલાકાત વિશે અને એ સ્થળવિશેષ વિશે વિગતે જણાવે છે.


જીમેલમાં ખાંખાખોળા… – જીજ્ઞેશ અધ્યારૂ 13

ગૂગલે જ્યારે ૧ એપ્રિલ ૨૦૦૪ના દિવસે જીમેલની જાહેરાત કરી ત્યારે માઈક્રોસોફ્ટ અને યાહુ ઈ-મેલ સુવિધા આપતી અગ્રગણ્ય કંપની હતી. માઈક્રોસોફ્ટના હોટમેલ કરતા લગભગ ૫૦૦ ગણી વધારે એવી ૧ જીબીના સ્ટોરેજ સાથે ગૂગલે જાહેર કરેલ જીમેલને ત્યારે મોટા ભાગના લોકો એપ્રિલફૂલ જોક સમજ્યા હતા. એ સમયે જીમેલ ‘ઇન્વાઈટ ઓન્લી’ સુવિધા હતી, ૨૦૦૭માં તેને પૂર્ણપણે સાર્વજનિક કરાઈ ત્યારથી લઈને આજ સુધી એ નિઃશુલ્ક વેબમેઈલ વિભાગમાં એકહથ્થુ સામ્રાજ્ય કરે છે. પણ તેની શરૂઆતના સમયે જીમેલને અન્ય સ્પર્ધકોથી આગળ લઈ જનાર વસ્તુ હતી તેની મોટી સ્ટોરેજ ક્ષમતા અને ‘ઇ-મેલમાં આંતરીક શોધની સુવિધા.’


હું અને મારો કેમેરો.. – કંદર્પ પટેલ 10

કંદર્પ પટેલની આ પહેલા પણ એક કૃતિ અક્ષરનાદ પર પ્રસ્તુત થઈ ચૂકી છે. કેમેરા સાથે એક ચાહકનો, એક ભાવકનો સંબંધ કેળવી ચૂક્યા હોય તેવા રસિયાઓ માટે કેમેરો એક પ્રેમિકાની, એક દોસ્તની, એક શિક્ષકની કે એક સહારાની ગરજ સારે છે. આવા જ કેટલાક અલંકૃત વાતો સાથેના આજના આ લેખને માણીએ, અક્ષરનાદને લેખ પાઠવવા બદલ કંદર્પભાઈનો આભાર.


ઇન્ડીયન અમેરિકન (વાર્તા) – વિનોદ પટેલ 14

અમેરિકાના સાન ડિએગોમાં રહેતા વિનોદભાઈ પટેલ તેમના બ્લોગ દ્વારા વિચારો વહેંચતા રહે છે. તેમણે પોતાની એક સરળ કૃતિ ‘ઇન્ડીયન અમેરિકન’ આજે અક્ષરનાદ પર પ્રસ્તુત કરવા માટે પાઠવી છે એ બદલ તેમનો આભાર અને તેમની કલમને શુભેચ્છાઓ.


બે પ્રેરણાકથાઓ – ગોવિંદ શાહ 9

શ્રી ગોવિંદભાઈ શાહનું સુંદર પુસ્તક ‘તારે સિતારે’ અનેક સુંદર લઘુકથાઓ સાથે અનેક પ્રેરણાદાયક વાતો મૂકે છે. આજે પ્રસ્તુત છે તેમાંથી જ બે સુંદર લઘુકથાઓ. અક્ષરનાદને આ સુંદર પુસ્તક ભેટ મોકલવા બદલ શ્રી ગોવિંદભાઈ શાહનો ખૂબ ખૂબ આભાર અને શુભકામનાઓ.


કમળપૂજા (વાર્તા) – હિમાંશી શેલત 4

હથોડાએ પોતાનું કામ પાકું કર્યું. પરસુને લોહી રેડાય એ ગમતું નથી, એટલે લાંબા વિચારને અંતે હથોડા પર પસંદગી ઢળી. બાવડામાં તાકાત નહીં, એટલે છ મહિના એને મજબૂત કરવા પાછળ આપેલા. બદરુ અખાડા જેવું ચલાવતો ત્યાંયે પરસુ આટાં મારી આવેલો. હાથવાળીને ગોટલા જોઈ પછી એ હરખાતો થયો. હથોડો નવો લીધેલો. પકડીને ફેરવવાની ટેવ પાડેલી. કામ પાકે પાયે થવું જોઈએ.

પહેલે ફટકે જ ઓરત ભોંયે પડી તેથી જરાય નવાઈ લાગી. આટલું સહેલું? દુર્બળ શરીર, પાંચ છ છોકરાને જનમ આપવામાં ખતમ થઈ ગયેલું. ન પ્રતિકાર, ન ચીસ. માટીનું હોય એમ ભોંયે ફસકાઈ પડ્યું એ. જે કરવા ધારેલું એ તો થઈ ગયું. હવે?


દસ મુકતકો.. – યાકૂબ પરમાર 8

અક્ષરનાદ પર જેમની પદ્યરચનાઓ સમયાંતરે માણવા મળે છે તેવા યાકૂબભાઈ પરમારનો મુક્તકસંગ્રહ ‘હવાનાં રૂપ’ અમદાવાદના રંગદ્વાર પ્રકાશન તરફથી ૨૦૧૨માં પ્રકાશિત થયો હતો. આજે પ્રસ્તુત છે તેમણે અક્ષરનાદને પાઠવેલાં દસ સુંદર મુક્તક. છંદબદ્ધ અને રચનાની શિસ્ત સાથેની આ કૃતિઓ અક્ષરનાદને મોકલવા બદલ તેમનો ખૂબ આભાર અને શુભકામનાઓ.


સંકલિત ગઝલરચનાઓ.. – ‘લઈને.. અગિયારમી દિશા’ સંગ્રહમાંથી 6

ફેસબુક પર ગુજરાતી ગઝલસર્જનમાં રત એવા મિત્રોના એક સમૂહ દ્વારા તેમના ગઝલસર્જનને પુસ્તક સ્વરૂપે પ્રસિદ્ધ કરાયું. ‘ગઝલ તો હું લખું’ ફેસબુક ગૃપના ગઝલકાર મિત્રો પારૂલ ખખ્ખર, મોહસીન મીર, મેહુલ ભટ્ટ, ભાવેશ શાહ, ટેરેન્સ જાની, મેહુલ પટેલ, મગન મકવાણા, ચિરાગ ઝા, કાંતિ વાછાણી, યોગેન્દુ જોષી અને અનંત રાઠોડની ગઝલરચનાઓનું સંકલન એટલે સુંદર ગઝલસંગ્રહ ‘લઈને. અગિયારમી દિશા’. આજે પ્રસ્તુત છે તેમાંથી પાંચ સુંદર ગઝલો. અક્ષરનાદને ગઝલસંગ્રહ પાઠવવા બદલ શ્રી કાંતિ વાછાણીનો ખૂબ આભાર અને સર્વે ગઝલકાર મિત્રોને હાર્દિક શુભકામનાઓ. સોશિયલ મિડીયાના સુંદર અને સાર્થક ઉપયોગની આ પદ્ધતિ અનેકોને ઉપયોગી થઈ રહે એવી શુભકામનાઓ.


સાચો ધબકાર, સાચો શણગાર અને સાચો રણકાર : મીરાં – મનોજ જોશી 5

રાણા કંડોરણા (જિ. પોરબંદર) ના કવિ શ્રી મનોજ જોશીને મિત્રો લાડમાં ‘મજો’ કહીને બોલાવે છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં તેઓ ગુજરાતીના પ્રોફેસર છે અને આકાશવાણી તથા દૂરદર્શનના માન્ય ગાયક છે. સૌરાષ્ટ્રના દૈનિક ‘ફૂલછાબ’ ની સાપ્તાહિક કટાર રૂપે પ્રગટ થતી લેખમાળા ‘આચમન’ નો એક લેખ અહીં લીધો છે. પ્રસ્તુત આસ્વાદલેખમાં તેઓ કવિ શ્રી ભગવતીકુમાર શર્માની મીરાંમય શબ્દરચનાની વાત ખૂબ સુંદર રીતે મૂકે છે.કવિશ્રીએ આ ગીતમાં રાજસ્થાન અને સૌરાષ્ટ્રને મીરાંના માધ્યમથી એકસૂત્રે બાંધ્યું છે. મેવાડ અને દ્રારિકાની વચ્ચે મીરાં નામનો સૂનકાર – ધબકાર આપણને ઘણુંબધું સૂચવી જાય છે. મીરાંના મંજીરાનો રણકાર જો એક વખત આપણે ‘સાચા અર્થ’માં પામી જઈએ તો આ જીવતરનો ખાલીપો ક્યાંય દૂર-સુદૂર હડસેલાઈ જશે. પણ રૂપિયાના રણકાર વચ્ચે એ મંગલમય મર્મનાદ કોણ જાણે ક્યારેય આપણે સાંભળીશું? પ્રસ્તુત કૃતિ કવિ શ્રી મનોજ જોશીના ‘ફૂલછાબ’માં પ્રસ્તુત થતા આસ્વાદ લેખોની શૃંખલા ‘આચમન’ ના લેખોના સંકલન પુસ્તક ‘શબ્દસૂરના સાથિયા’ માંથી સાભાર લેવામાં આવી છે.


પાણીપુરીનો પૉર્ટફોલિઓ – ડૉ. હાર્દિક યાજ્ઞિક 14

ઘણા વખત પછી હાર્દિકભાઈ આજે ઉપસ્થિત થયા છે અને તે પણ પાણીપુરીની વાત સાથે… પાણીપુરીના ઈતિહાસને શોધવાની પળોજણમાં ઉતર્યા વગર તેમણે પાણીપુરીના વૈવિધ્ય, સ્વાદાનુસંગતિ, આકર્ષણ, ફિલસૂફી, જીવનદર્શન, યોગ્યતા, મોહ અને અનન્યતા વિશે પુરી ભરીને લખ્યું છે. જો કે તેમણે આપેલ પાણીપુરીની ફિલસૂફી સાથે મારે ઉમેરવાનું હોય તો કહું કે…. આજકાલ સાત વિવિધ પાણી સાથેની પાણીપૂરી મળે છે, જે વિવિધતામાં એકતાનો સંદેશ આપે છે, સપ્તપદીના સાત વચનો કે સરગમના સાત સુર કે મેઘધનુષ્યના સાત રંગો જેટલી જ એ દરેક પાણીની વિશેષતા છે. કર્મ કરવાની અને ફળની ચિંતા છોડવાની સ્થિતપ્રજ્ઞતા પાણીપુરી ખાઈ રહેલ કોઈ પણ મનુષ્યના ચહેરા પર જાણે બોલ્ડ યુનિકોડમાં લખાયેલ હોય છે, પાણીપુરીને અંતે મંગાતી સૂકી પૂરી કે ચૂરામાં મોક્ષની પ્રાપ્તિ જેવો અનેરો આનંદ રહે છે, એક કે બે પ્લેટ ખવાઈ ગયા પછી વધુ ન ખાવા દ્વારા ઉત્પન્ન થતો આત્મસંયમ, પાણીપુરી એક આખું પુસ્તક છે. પાણીપુરીના સ્વાદ જેવો જ અદ્રુત આ લેખ અક્ષરનાદને પાઠવવા બદલ હાર્દિકભાઈનો આભાર.


આખરી ક્ષણ – રમેશ કે. પુરબિયા 7

એ સમયે ટૅક્સીની ગતિ મને વિમાન જેવી લાગી. બધું પાછળ જઈ રહ્યું હતું. એ આખું શહેર, એમાં વીતેલો સમય સાથે ઘણું ઘણું કે, જ્યાં અમારાં પગલાં સાથે અમારી સાથે અમારી નજરો વિહરી હતી. એ રંગીન દિવસો, પાર્ટીઓ, બજારો, અમારા મિલનનાં સ્થળો, શૉપિંગ-સેન્ટરો, ત્યાંનાં લોકો. એમનું યંત્રવત જીવન – બધું જ….

વીતાવેલી ક્ષણો બમણી ગતિથી આગળ થવા મથતી’તી પણ પાછળ જ.. હું આગળ ગતિ કરતો હતો અને એ…

પહેલી નજરમાં તો એ મને અમેરિકન જ લાગેલી. એવાં જ રૂપરંગ, ગોરીગોરી, ઉતાવળી ઇંગ્લિશ ભાષા, પહેરવેશ પણ ઇંગ્લિશ. એનું વ્યક્તિત્વ પણ એવું જ…


પથિક કોઈપણ કામ પૂરું નથી કરતો..(૩) – ડૉ. નીના વૈદ્ય (બાળઉછેર કાઉન્સેલીંગના અનુભવો – ૮)

આગળ આપણે જોયું કે પથિકની અયોગ્ય વર્તણુંકનાં ઘણાં કારણો હોય શકે અને દરેક કારણને વિગતે જોવાનાં આપણાં નિર્ણય સ્વરૂપે આજે પથિકનાં કિસ્સાના ત્રીજા ભાગની ચર્ચા કરીશું. આપણો ત્રીજો મુદ્દો હતો પથિકને ADHD અથવા HYPER બાળક કહી શકાય? જવાબ નક્કી કરતા પહેલાં જાણવું જરુરી છે કે બાળકને ADHD અથવા HYPER ક્યારે કહી શકાય? અથવા ADHD એટલે શું? ADHD એટલે Attention Deficit Hyperactivity Disorder. નામ જ સુચવે છે કે આ એક Disorder છે, મગજનાં કોમ્પ્યુટરમાં ઊભી થતી એક અવ્યવસ્થા જેના કારણે બાળક કોઈપણ કામમાં લાંબો સમય ધ્યાન કેન્દ્રીત કરી શકતું નથી. બાળક અવિરત ઉર્જાનો સ્ત્રોત છે અને આ ઉર્જા વાપરવી એ બાળકની જરૂરિયાત છે આથી ભલે એકાગ્રતાની ખામીનાં કારણે આમ કોઈ કાર્ય પુરું કરી ન શકતું હોવા છતાં બાળક સતત કોઈને કોઈ પ્રવૃત્તિમાં પરોવાયેલું રહેવા માંગે છે અને મોટાભાગે બીનઉપયોગી અને નકારાત્મક પ્રવૃત્તિ કરતું રહે છે. બાળકને ADHD છે એવું તારણ કાઢતાં પહેલાં કેટલાંક ભયસ્થાનો તપાસી લઈએ.


વિવેચન એટલે વિવાચન – સતીશ વ્યાસ 5

શબ્દસૃષ્ટિ સામયિકનો દિવાળી વિશેષાંક અનેકવિધ લેખકોના વિવેચન વિશેના વિચારોનું પ્રતિબિંબ છે. તેમાંથી શ્રી સતીશ વ્યાસનો ‘વિવેચન એટલે વિવાચન’ શીર્ષક ધરાવતો લેખ આજે પ્રસ્તુત કર્યો છે. તેઓ કહે છે, ‘વિવેચન મારે માટે તો વિવાચનનો વિષય છે. કશુંક વિશેષ વાંચવું ગમે તો, ન સમજાય તો વારંવાર વાંચવું. સર્જકે કરેલા વિશેષ ભાષાકર્મને ઉકેલવા મથવું. એણે આ સ્થાને આ જ શબ્દ શા માટે પ્ર-યોજ્યો હશે, એ સમયે મોના સંવિદની સ્થિતિ-અવસ્થિતિ કેવી હશે, એની મથામણ-માથામણ કેવી હશે, એને તટસ્થતા – તન્મયતા વચ્ચેની, ક્રિકેટના અમ્પાયરના જેવી, ભૂમિકાએ રહી મૂલવવી એટલે વિવાચન ! એમાં સહ્રદયતા પણ હોય, સાચુકલાઈ પણ હોય અને સૌંદર્યપરકતા પણ હોય !’ માણો આ સંપૂર્ણ લેખ, સાભાર શબ્દસૃષ્ટિ સામયિક.


વન વગડાની તુલસી.. – રમેશભાઈ ચાંપાનેરી ‘રસમંજન’ 5

રમેશભાઈ ચાંપાનેરીની કલમે અનેક હાસ્યલેખ આપણે માણ્યા છે, તો આજનો આ ચિંતનલેખ કહો, વાર્તા કહો કે સાહિત્ય લેખ કહો… મનનીય સર્જનને ગમે તે પ્રકારમાં બાંધો, એ સદાય વિચારપ્રેરક જ હોય છે. રમેશભાઈ તેમની કલમનો આજનો આ સુંદર પ્રયાસ અક્ષરનાદની સાથે વહેંચી રહ્યા છે એ બદલ તેમનો ખૂબ ખૂબ આભાર અને શુભકામનાઓ.

* * *

જીવન એટલે, શું શ્વાસોનું ધબકતા રહેવું? જીવન એટલે, શું મેં ઘડેલી મારી જીવન કુંડળીમાં મારે અલમસ્ત રહેવું? જીવન એટલે, શું લોકોમાં મારી રીતે મારી વાહ… વાહ… ઉભી કરી મારે મસ્ત બનીને રહેવું? લોકો મારી તકલાદી અને તકવાદી પીઠ થાબડે એમાં આનદ લેવો? ના… એ જીવન નથી. જે દેખાય છે, એ જીવનની પાછળ પણ એક જીવન છે……


ગઝલો, મુક્તકો – ડૉ. મુકેશ જોષી 10

ડૉ. મુકેશ જોષીની સુંદર રચનાઓ આ પહેલા પણ અક્ષરનાદ પર પ્રસ્તુત થઈ છે. આજે પ્રસ્તુત છે તેમની બે ગઝલરચનાઓ અને ચાર મુક્તકો. સુંદર અને સાતત્યસભર રચનાઓ તેમના સર્જનની વિશેષતાઓ છે. અક્ષરનાદને પ્રસ્તુત કૃતિઓ પાઠવવા બદલ ડૉ. જોષીનો આભાર અને શુભકામનાઓ.


પાંચ માઈક્રોફિક્શન વાર્તાઓ (ભાગ ૭) : ડાયસ્પોરા સમાજ – હેમલ વૈષ્ણવ 16

અક્ષરનાદ પર માઈક્રોફિક્શનના વાર્તાપ્રકાર પર સતત હાથ અજમાવતા હેમલભાઈ વૈષ્ણવ આજે વિશેષ ‘થીમ’ માઈક્રોફિક્શન સ્વરૂપે ફક્ત ડાયસ્પોરા સમાજની વાર્તાઓ લઈને આવ્યા છે. તેઓ પોતે પણ ભારતથી દૂર જ છે, અને કદાચ તેથી જ વાર્તા થઈ શકે એવી એ લાગણીને વાચા આપવા આ માઈક્રો માધ્યમને તેમણે સચોટપણે ઉપયોગમાં લઈ બતાવ્યું છે. હેમલભાઈનો અક્ષરનાદને આ રચનાઓ પાઠવવા બદલ આભાર અને શુભકામનાઓ.


નવા વરસની શુભેચ્છાઓ.. કઈ રીતે પાઠવી? – કંદર્પ પટેલ 9

કંદર્પભાઈનો અક્ષરનાદ પર આ પ્રથમ લેખનપ્રયાસ છે. બેસતા વરસના સપરમા દિવસે એકબીજાના ઘરે જઈ, સંબંધીઓ અને મિત્રોને મળીને નવા વર્ષની શુભેચ્છાઓ આપવાની મજા વોટ્સએપ, ફેસબુક, ટ્વિટર જેવા સોશિયલ મિડીય પ્લેટફોર્મ લઈ ગયા છે. સૂરતના કંદર્પભાઈ પટેલ આ જ વિષય પર તેમની વાત લઈ આજે ઉપસ્થિત થયા છે. અક્ષરનાદમાં તેમનું સ્વાગત અને તેમની કલમને શુભકામનાઓ.


મેનેજર (પ્રેરણાકથા) – સુરેશ જાની 16

ગુજરાતી વેબવિશ્વમાં જેમના નામને કોઈ ઓળખાણની જરૂર નથી એવા શ્રી સુરેશભાઈ જાની આજે સત્યકથા પર આધારિત એક અનોખી પ્રેરણાદાયક વાત લઈને ઉપસ્થિત થયા છે. બાળકોને તેમના ભવિષ્યને લગતી, કારકિર્દીને લગતી બાબતોમાં નિર્ણય લેવાનો હક્ક હોવો જોઈએ કે નહીં? આશા છે કે સુરેશભાઈની પ્રસ્તુત વાત કિશોરો અને બાળકોની સાથે સાથે માતાપિતાને પણ પ્રેરણા આપી શક્શે. અક્ષરનાદને પ્રસ્તુત કૃતિ પાઠવવા અને પ્રસ્તુત કરવાની તક આપવા બદલ શ્રી સુરેશભાઈનો ખૂબ આભાર.


પથિક કોઈપણ કામ પૂરું નથી કરતો..(૨) – ડૉ. નીના વૈદ્ય (બાળઉછેર કાઉન્સેલીંગના અનુભવો – ૭) 4

ગયા અંકમાં આપણે જોયું કે પથિકનાં કિસ્સામાં એકથી વધુ કારણો જવાબદાર હતાં અને આપણે દરેક કારણનાં ઉકેલને એક પછી એક સમજવાનો પ્રયત્ન કરીશું. આજે જોઈશું કે બાળકને એકવાર એવી ટેવ પડી જાય જે તેનાં સામાન્ય વિકાસની યાત્રામાં નડતરરૂપ બને તો એવી ટેવને હકારાત્મક વલણ દ્વારા કેવી રીતે બદલી શકાય. આપણે તમામ મનુષ્યોનું એક મૂળભૂત વલણ હોય છે કે આપણે સૌનું ધ્યાન આપણા તરફ ખેચવાં માંગતા હોઈએ છીએ અને એટલેજ આપણી વર્તણુંક સ્થળ, કાળ અને વ્યક્તિ પ્રમાણે બદલાય છે. આપણાં બાળકો આમાંથી બાકાત નથી….