Daily Archives: November 12, 2013


ગિરનારની પરિક્રમા… – હરેશ દવે 6

આવતીકાલ, તા ૧૩ નવેમ્બર થી ગરવા ગિરનારની પાવનકારી પરિક્રમા શરૂ થઇ રહી છે. ગીરનાર પર્વતના જંગલ માં ૩૬ કી.મી. ની આ પરિક્રમા તા ૧૭ નવેમ્બરના રોજ પૂરી થશે. આ ચાર દિવસો દરમ્યાન જંગલનું શાંત વાતાવરણ માનવીઓના પદરવ અને કોલાહલથી ગૂંજી ઉઠશે. ગીરનારનું જંગલ, જુનાગઢના સીમાડે આવેલું છે. ગત ચોમાસામાં ખૂબ સારો વરસાદ થવાથી, જંગલની રમણીયતા ખીલી ઉઠી છે. શ્રી હરેશભાઈ દવેની કલમે આજે પ્રસ્તુત છે પરિક્રમા વિશેની અનેકવિધ વાતો અને માહિતી. લેખ અક્ષરનાદને પાઠવવા બદલ શ્રી હરેશભાઈ અને શ્રી હર્ષદભાઈનો આભાર.