Daily Archives: November 8, 2013


રામકૃષ્ણ પરમહંસ અને વિવેકાનંદ – અવિનાશ મણિયાર 5

સ્વામી વિવેકાનંદ ભારતીય તત્વજ્ઞાન, આધ્યાત્મિક વિચારસરણી અને ધર્મ વિશેની સાચી તાર્કિક સમજણના વિશ્વભરમાં એક અનોખા વાહક અને સીમાસ્તંભ હતા. ધર્મની કૂપમંડુકતા અને અંધશ્રદ્ધાને નિર્મૂળ કરવાનો તેમનો યત્ન આગ્વો અને અનોખો હતો. તેમના વિચારો આજે પણ એટલાં જ પ્રસ્તુત છે. ગાંધીજી, સુભાષચંદ્ર બોઝ, રવિન્દ્રનાથ ટાગોરથી લઈને કાકા કાલેલકર, ડૉ. અબ્દુલ કલામ અને નરેન્દ્ર મોદી જેવા અનેક મહાનુભાવો તેમના વિચારોથી પ્રભાવિત થયાં છે. તેમની ૧૫૦મી જન્મજયંતિની ઉજવણી થઈ રહી છે ત્યારે તેમના પત્રો, પ્રવચનો અને વિચારોની પ્રસ્તુતિ તથા પ્રસાર થવો આવશ્યક છે. ફીલિંગ્સ સામયિકના સ્વામી વિવેકાનંદ વિશેષાંક (૧૫ સપ્ટેમ્બર ૨૦૧૩) માંથી ઉપરોક્ત લેખ સાભાર લેવામાં આવ્યો છે. સંપાદક શ્રી વિજયભાઈ રોહિતનો આ માટેની પરવાનગી બદલ અને સુંદર સંગ્રહ કરવા લાયક અંક પાઠવવા બદલ આભાર.