Daily Archives: October 14, 2013


રજપૂતાણી (નવલિકા) – ધૂમકેતુ 17

આપણી કેટલીક પ્રશિષ્ટ નવલિકાઓ સાહિત્યમાં પોતાનું આગવું સ્થાન બનાવીને અચળ ઊભી છે, ઝવેરચંદ મેઘાણીની ‘જી’બા’ હોય, રામનારાયણ વિ. પાઠકની ‘જક્ષણી’ હોય કે ધૂમકેતુની ‘પોસ્ટઑફીસ’ આ બધી નવલિકાઓ એક આગવું ભાવનાવિશ્વ રચે છે, વાચકને એ ક્યાંક પોતાની સાથે એક અતૂટ ધાગે બાંધે છે. ધૂમકેતુની પ્રસ્તુત વાર્તા ‘રજપૂતાણી’ આવી જ એક અનોખી નવલિકા છે. ફક્ત ત્રણ પાત્રો – રજપૂત, રજપૂતાણી અને ચારણ, એક અસહજ વાર્તા તંતુ જેમાં રજપૂત પોતાની પત્નીને મળવા જતાં માર્ગમાં મૃત્યુ પામે છે અને અવગતે જાય છે અને એથીય નિરાળો અંત… ઝવેરચંદ મેઘાણીની છાપ ધરાવતી આ એક અનોખી વાર્તા છે, પણ શું આ પ્રેતવાર્તા છે? શું આ લૌકિક-લોકવાર્તાના સ્વરૂપની આછેરી ઝલક છે? શું આ વાયકાનું વાર્તાસ્વરૂપ છે? ના, પણ ક્યાંક એ ત્રણેયનો સમરસ સ્વાદ છે. ધૂમકેતુની કલમ અહીં પોતાનો રુઆબ અનોખી રીતે પ્રસરાવે છે અને વાર્તાને તેના તત્વ સાથે સાંકળી રાખે છે. રજપૂતાણીના સ્વભાવનો, ચારણની નિર્ભિકતાનો અને રજપૂતના પ્રેમનો એ અનોખો પૂરાવો છે, અને એ જ કારણે એ માણવાલાયક આસ્વાદ્ય કૃતિ છે.