Daily Archives: August 7, 2013


નામ બિન ભાવ કરમ નહીં છૂટૈ… – દરિયા સાહેબ 6

‘પીઓને પ્રેમરસ પ્યાલા’ નામનો એક સુંદર સંકલિત અનામ ભજનસંગ્રહ કોઈક વાચકમિત્રએ અક્ષરનાદને ભેટસ્વરૂપ મોકલ્યો હતો. સંગ્રાહક અને ટીકાકાર તરીકે અહીં દુર્લભદાસ છગનલાલ ભગત છે. લગભગ ‘૯૬ માં પ્રસિદ્ધ થયેલ આ સુંદર અમૃતસાગરના પાને પાને ભજનરસ છે. લગભગ ૩૪૦થી વધુ ભજનોનો અહીં સુંદર આસ્વાદ કરાવાયો છે. તેમાંથી જ આજે દરિયા સાહેબનું ‘નામ બિન ભાવ કરમ નહીં છૂટૈ, સાધ-સંગ ઔર રામ ભજન બિન, કાલ નિરંતર લૂંટૈ……’ એ ભજન તથા તેનો આસ્વાદ પ્રસ્તુત કર્યો છે. શ્રાવણના પ્રારંભે મનના મેલને ધોઈને, નામસ્મરણનો સર્વ ધર્મમાં વર્ણવાયેલ મહિમા અનુભવીને એ સર્વશક્તિમાન તરફ થોડાક ઢળી શકીએ એ જ અભ્યર્થના સહ સર્વે વાચકમિત્રોને શ્રાવણ મહીનાની, માહે રમઝાનની અને આ પવિત્ર સમયમાં ધર્મકાર્યો માટેની શુભકામનાઓ.