Daily Archives: August 5, 2013


કોને ખબર કેમ.. (વાર્તા) – અશ્વિન દેસાઈ 15

‘૮૭માં સપરીવાર ઓસ્ટ્રેલીયામાં સ્થાયી થયેલ અશ્વિનભાઈ દેસાઈને ‘૯૩ માં જીવલેણ સ્ટ્રોક આવ્યો, શરીરનું ડાબુ અંગ કામ કરવામાંથી નિવૃત્તિ લઈ ગયું, તો પણ એક હાથે સર્જનનો તેમનો પ્રયાસ તો ચાલુ જ રહ્યો. જો કે એ પહેલા પણ તેમને ‘૭૮માં વાર્તાઓ માટે ‘કુમારચંદ્રક’ મળ્યો હતો, કાંતિ મડિયા સાથે નાટકોમાં પણ તેમણે હાથ અજમાવ્યો હતો, પણ સંતાનોના ઉચ્ચ અભ્યાસની મજબૂરીએ સાહિત્ય અને સર્જન પ્રત્યેની આ લાગણીઓ છોડીને ઓસ્ટ્રેલીયામાં સ્થાયી થવું પડ્યું. છતાંય ગુજરાતી સાહિત્ય પ્રત્યેનો તેમનો પ્રેમ જરાય ઓછો થયો નથી. અહીં પ્રસિદ્ધ વાર્તા ‘કોને ખબર કેમ..’ વાચકો માટેના ‘મમતા’ સામયિકના દીપોત્સવી અંક – ‘ડાયસ્પોરા સિતારા’ માં છપાઈ હતી. અક્ષરનાદને પ્રસ્તુત વાર્તા પાઠવવા બદલ શ્રી અશ્વિનભાઈ દેસાઈનો ખૂબ ખૂબ આભાર અને શુભકામનાઓ. તેમનો સંપર્ક તેમના ઈ-મેલ સરનામે – ashvindesai47@gmail.com પર કરી શકાશે.