Daily Archives: June 28, 2013


મુન્નો (વાર્તા) – ગુણવંત વૈદ્ય 14

તાજેતરમાં ઉતરાખંડમાં થયેલા વિનાશની તસવીરો, વર્ણનો અને પ્રકોપ જોઈને હૈયું રડી ઉઠે એ સ્વભાવિક છે, હજારો લોકો જેમાં મૃત્યુનો ભોગ બન્યા છે અને કેટલાય કુટુંબો જે હોનારતમાં વિચ્છેદ પામ્યા છે એવા કુટુંબોના, મૃત્યુ પામેલા એ શ્રદ્ધાળુ યાત્રીઓના અને તેમના કુટુંબીજનોના દુઃખને અને તેમની વ્યથાને, જે ભોગ બન્યા છે એ સિવાય કોઈ ભાગ્યે જ સમજી શકે. લગભગ દરેક હતભાગી કુટુંબ એ જ પ્રશ્ન પૂછી રહ્યું છે, ‘આવું અમારી સાથે જ શા માટે? અમારો શો વાંક?’ કુદરતની સામે લાચાર વામણા માણસની આ આંતરીક ખોજ છે, જે સતત ચાલતી આવી છે અને કદાચ હજુ પણ ચાલુ જ રહેશે… આવા જ સૂરની – એક અનોખી વ્યથાની કૃતિ આજે પ્રસ્તુત કરી છે. ગુજરાતના મહાવિનાશક ધરતીકંપ બાદ લખાયેલી શ્રી ગુણવંતભાઈ વૈદ્યની પ્રસ્તુત વાર્તાને ‘ઓપિનિયન’ સમાચારપત્ર, લંડન દ્વારા યોજાતી વ।ર્તાસ્પર્ધામાં વિજેતા ઘોષિત કરવામાં આવી હતી અને પારિતોષિક પ્રાપ્ત થયું હતું. અક્ષરનાદના વાચકો માટે ગુણવંતભાઈએ પાઠવેલી આ વાર્તા આજે આપ સૌ માટે અત્રે પ્રસ્તુત છે. ઈશ્વર સૌ મૃતકોના આત્માને શાંતિ આપે એ જ પ્રાર્થના.