Daily Archives: May 28, 2013


મહાદેવ ગોવિંદ રાનડેના પ્રેરક જીવનપ્રસંગો 4

શ્રી મહાદેવ ગોવિંદ રાનડેનો જન્મ મહારાષ્ટ્રના નાસિક જીલ્લામાં થયેલો. ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસની સ્થાપનામાં તેઓએ મહત્વની ભૂમિકા ભજવી હતી, ન્યાયાધીશ તરીકે પોતાની ભૂમિકા ભજવવા ઉપરાંત સામાજ સુધારણાના અનેક કાર્યોમાં તેમણે નેતૃત્વ પૂરું પાડીને પ્રજાને જાગૃત કરવાનું કાર્ય કર્યું હતું. તેમના જીવનના કેટલાક પ્રસંગો ખૂબ પ્રેરણાદાયક છે, તેમાંથી બે પ્રસંગો અત્રે પ્રસ્તુત કર્યા છે. શ્રી યશવન્ત મહેતા દ્વારા સંકલિત અને શ્રી એમ પી પટેલ ફાઉન્ડેશન દ્વારા પ્રકાશિત ‘અત્તરનાં પૂમડાં’માંથી આ પ્રસંગો સાભાર લેવામાં આવ્યા છે.