Daily Archives: January 15, 2013


બે કાવ્યરચનાઓ – રાજેન્દ્ર શાહ 2

લોકમિલાપ ટ્રસ્ટ દ્વારા પ્રકાશિત કાવ્ય કોડિયાં અંતર્ગત ત્રણેક સંપુટમાં વિવિધ કવિઓની ચૂંટેલી રચનાઓનું સંકલન કરીને નાનકડી પુસ્તિકા સ્વરૂપે બહાર પાડવામાં આવ્યા હતાં. આ પ્રકાશન ૧૯૮૦થી શરૂ થયું દસ કવિઓનો એક એવો નાનકડો સંપુટ સંપાદિત કરાયેલો, પ્રથમ સંપુટનું શ્રી નિરંજન ભગતે, દ્વિતિય સંપુટનું શ્રી સુરેશ દલાલે તથા ત્રીજા સંપુટનું જયંત પાઠકે સંપાદન કરેલું. પ્રસ્તુત સંકલન અને સંપાદન શ્રી જયન્ત પાઠક દ્વારા ત્રીજા સંપુટમાં કરાયું છે. બંને કાવ્યરચનાઓ સબળ અને સ્વયઁસ્પષ્ટ છે. પ્રસ્તુત કાવ્યકોડિયાં ઓનલાઈન ઉપલબ્ધ કરાવવાની તક અક્ષરનાદને મળી છે એ બદલ સૌનો આભાર.