Daily Archives: December 28, 2012


સામાજિક સુગ્રથિતતા અને સરકાર – બર્ટ્રાન્ડ રસેલ, અનુ. બદરીપ્રસાદ ભટ્ટ

બર્ટ્રાન્ડ રસેલ આ યુગના મુઠ્ઠીભર માર્ગદર્શકોમાંના એક સમર્થ માર્ગદર્શક હતા. સમાજજીવન, કેળવણી, તત્વજ્ઞાન, રાજનીતિ બધા જ વિષયોમાં તેમની અપ્રતિમ બુદ્ધિ અપ્રતિહત ઢબે ચાલતી હતી. બુદ્ધિ અને લાગણી બંનેનો સુમેળ એમના લખાણોમામ હતો એવો ભાગ્યે જ કોઈ બીજામાં જગતે અનુભવ્યો છે. તેમની નિર્ભયતા અજોડ હતી એમાં પોતાની ભૂલ જોવાની નિર્મળતા હતી. તેમનું પુસ્તક ‘સત્તાધિકાર અને વ્યક્તિ’ સત્તા અને વ્યક્તિ વચ્ચેના સંબંધોને ચર્ચે છે. સંમતિ ઘણી વાર ગતાનુગતિક હોય છે પણ વિચારપૂર્વકની અસંમતિ તો વિરલ છે અને એ જ લોકશાહીનું લૂણ છે. આ શક્તિ આખરે વ્યક્તિ મારફત જ વ્યક્ત થાય છે એટલે સત્તાધિકાર અને વ્યક્તિના પરસ્પરાનુબંધો આજે પણ એટલા જ પ્રસ્તુત છે. લોકભારતી સાણોસરા દ્વારા પ્રસ્તુત આ પુસ્તકનું બદરીપ્રસાદ મા. ભટ્ટ દ્વારા ભાષાંતર કરાયુ છે. આજે તેમાંથી પ્રાચીનકાળના રાજ્યસત્તાના વિકાસ – વિસ્તાર વિશેનો ભાગ પ્રસ્તુત છે.