Daily Archives: September 20, 2012


ગણપતી ઉપાસનાનું આધ્યાત્મિક રહસ્ય – વિનોદ માછી 6

ભાદરવા સુદ ચોથ એ ગણેશ ચતુર્થી કહેવાય છે. મોરેશ્વર નામના ગણપતિના એક ભક્ત થઇ ગયા, તેમની ભક્તિના કારણે પ્રભુ સાથે તેમનું નામ જોડાઇ ગયું, તેથી આ દિવસોમાં “ગણપતિ બાપા મોરીયા” ના અવાજોથી વાતાવરણ ગૂંજી ઉઠે છે. ભારતીય સંસ્કૃતિના ઋષિઓએ ગણપતિને ખુબ જ મહત્વ આપ્યું છે. પ્રત્યેક શુભ કાર્યમાં તેમનું પ્રથમ પૂજન કરવામાં આવે છે. શ્રી ગણેશના જન્મની કથા, તેમના શરીર તથા વાહન અને શસ્ત્રો વગેરે વિશેનું અધ્યાત્મિક રહસ્ય આજે વિનોદભાઈ આપણી સમક્ષ મૂકી રહ્યા છે એ બદલ તેમનો ખૂબ ખૂબ આભાર. આપ સૌને ગણેશજીના આ ઉત્સવને મન મૂકીને માણો, ભક્તિમાં રસતરબોળ થતા તેના સાચા અર્થને સમજી વધુ સમર્પણ અને શ્રદ્ધા અર્પી શકો એ જ અભ્યર્થના.