Daily Archives: August 28, 2012


બદમાશ (ટૂંકી વાર્તા) – ઝવેરચંદ મેઘાણી 9

આપણા રાષ્ટ્રીય શાયર અને ગુજરાતીના આગવા લેખક શ્રી ઝવેરચંદ મેઘાણીનો ૨૮ ઓગસ્ટે – આજે જન્મદિવસ છે, તેમને આજના દિવસે તેમની જ એક સુંદર વાર્તા દ્વારા યાદ કરીએ, અક્ષરનાદ અને સમગ્ર વાચક પરિવાર તરફથી શ્રી મેઘાણીને વંદન

આગગાડીનાં પૈડાંએ પહેલું ચક્કર ફરી લીધું હતું. રામલાલભાઇએ બારણું ખોલી પત્નીને છેલ્લા ડબામાં હડસેલી તેટલામાં તો પૈડાં ગુંજવા લાગ્યાં. ત્રણ બાળકોને તેમ જ ટ્રંક-પોટલાંને તો રામલાલે બારીમાંથી જ અંદર ફગાવ્યાં. રૂક્ષ્મિણીએ એ પછડાટમાંથી ઊઠી તથા બાબો સંભાળ્યાં નહિ ત્યાં તો ટ્રૈન સ્ટેશન-યાર્ડને વટાવી ગઇ.

ખાલી પડેલા પ્લાટફોર્મ પર જે કોઇ આ દૃશ્યના સાક્ષીઓ હતા તેમણે રામલાલના માથા પર તડાપીટ વરસાવી : ‘સા’બલોકના પોરિયા થઇ ગયા બધા ! – ‘પંક્ચ્યુઅલ’ ટાઇમ પર જ આવનારા !’

‘— ને પછી બૈરું કોને ભળાવે છે તેનોય વિચાર ન કરે !’

આ વાક્યે રામલાલને ચમકાવ્યો…..