Daily Archives: August 6, 2012


વરસાદમાં વતનની યાદ… – ઉશનસ 2

રોજીરોટી કમાવા અથવા અન્ય વિટંબણાઓને લઈને વતનથી દૂર જવું પડ્યું છે તેમને માટે અમુક ક્ષણો એવી આવે છે જ્યારે વતનની યાદ સતાવે છે. એમાં વર્ષાઋતુ મુખ્ય છે. પહેલા વરસાદમાં પોતાના વતનને – ગામને યાદ કરતા એ અદના માણસની મનોવેદના કવિશ્રી ઉશનસના પ્રસ્તુત કાવ્યમાં સુપેરે વ્યક્ત થાય છે. આ પરથમ પહેલાના ઘનઘોરેલ આકાશે માટીની સુગંધ અને હરીયાળી થઈ રહેલી ધરાને જોઈને કવિને પોતાના વતનથી દૂર હોવા છતાં ત્યાં જ હોવાનો અહેસાસ થાય છે. ગામના કાંઠે વહેતી નદી, ઘર, પણિયારાની માટલી અને આથમણા પાદર જાણે કવિને હાથવેંત છેટા જ લાગે છે. આવી સુંદર રચના એ સર્વેને અર્પણ જે ગોરંભાયેલા વતનના આકાશને યાદ કરીને તેનાથી દૂર રહીને પણ પાસે હોવાનો અહેસાસ જીવંત રાખી શક્યા છે. પ્રસ્તુત રચના શ્રી મહેન્દ્રભાઈ મેઘાણી સંપાદિત અને લોકમિલાપ ટ્રસ્ટ પ્રકાશિત ‘કાવ્યકોડીયાં’ માંથી સાભાર લેવામાં આવી છે.


જગતને પોષનાર આશુતોષ પોતે દરિદ્ર કેમ? – સ્વામી પ્રદીપ્તાનંદ સરસ્વતી 1

સગુણ અને નિર્ગુણ સ્વરૂપની સ્તુતિ કરવી અત્યંત મુશ્કેલ હોવાથી ભગવાનના કોઈ એક અવતાર કે તેના લીલા સ્વરૂપનું વર્ણન કરતાં ગંધર્વરાજ પુષ્પદંત કહે છે, હે વરદ એટલે કે વરદાન આપનારા મહાદેવ… વર એટલે ઈષ્ટ કે શ્રેષ્ઠ વસ્તુ દરેક વરદાનના પ્રત્યુત્તરમાં માત્ર તથાસ્તુ એટલે કે માંગનારની સર્વ ઈચ્છા પૂરી થાવ એમ કલ્યાણ કરનારા, આપના કુટુંબનું ભરણપોષણ માટે આપની પાસે સાધન શું છે? જેમ વ્યવહારમાં ઘર, પરિવાર ચલાવવા માટે નોકરી, ધંધો કરતા હોઈએ તેમ પુષ્પદંત મહારાજ વિચારે છે કે ભગવાનનું ઘર તો સમગ્ર વિશ્વ છે તો ભગવાન કયા સાધનોથી વિશ્વનું પાલન પોષણ કરે છે?