Daily Archives: August 2, 2012


ઈ-પુસ્તક કઈ રીતે બનાવશો? – જીજ્ઞેશ અધ્યારૂ (ઈ-પુસ્તક ડાઉનલોડ) 9

વડીલો માટે આમ તો કોમ્પ્યુટર શીખવું, બ્લોગિંગ વિશેની સુવિધાઓ, વેબસાઈટ, સોફ્ટવેર વગેરે જેવી વિવિધ જાણકારી મેળવી બ્લોગિંગ શરૂ કરવું એ કાંઈ નાનીસૂની વાત નથી. ગુજરાતી બ્લોગજગતમાં રીટારર્ડ વડીલ બ્લોગરમિત્રો ઘણાં છે, અને તેમના સતત બ્લોગિંગથી એક સમય એવો આવે છે જ્યારે તેમને પોતાના લેખનની ઈ-પુસ્તિકા પ્રકાશિત કરવાની ઈચ્છા થાય એ સ્વભાવિક છે. આવા વડીલોને મદદ કરવા ઈ-પુસ્તક બનાવવાની તદ્દન સાધારણ અને મૂળભૂત પદ્ધતિ અહીં પ્રસ્તુત નાનકડા ઈ-પુસ્તકમાં પ્રસ્તુત કરી છે


અનેક પંથને અનુસરનારનું ધ્યેય તો એક જ… – સ્વામી પ્રદીપ્તાનંદ સરસ્વતી 1

પ્રતિકૂળ તર્કનો પરિહાર કર્યા બાદ પુષ્પદંત મહારાજ હવે અલગ અલગ સંપ્રદાયમાં રહેલી ઈશ્વર વિશેની માન્યતાની ચર્ચા કરે છે. વિવિધતાથી ભરેલો આપણો દેશ ભારત ધર્મની બાબતમાં પણ અનેક પંથ અને સંપ્રદાયોથી ભરેલો છે. અને આ જ મુદ્દા પર તો વારંવાર આપણા પર પ્રશ્ન ઉઠાવવામાં આવે છે શૈવ લોકો શિવ માને તો જૈન લોકો અર્હંતને ભગવાન કહે છે, વૈષ્ણવ કૃષ્ણના નાના સ્વરૂપ લાલાને જ ઈશ્વર માને છે તો આમાંથી ભગવાન કોને માનશું? આટલા બધા મત ભક્તને મૂંઝવણમાં મૂકી દે છે. તેનો જવાબ આપતા ગંધર્વરાજ કહે છે કે જાતજાતના અનેક સરળ અને વિકટ પંથને અનુસરનારા મનુષ્યોનું આપ એક જ ધ્યેય છો, લક્ષ છો. વ્યવહારમાં આપણને એક પ્રશ્ન વારંવાર પુછાઈ રહ્યો છે કે તમે કેટલા ભગવાનને માનો છો? તમારે ત્યાં રામ પણ ભગવાન, કૃષ્ણ પણ ભગવાન, શિવજી ઉપરાંત ગણપતિ, હનુમાનજી અને માતાઓમાં તો ગાયત્રીમાં, શીતળામાં, અંબામાં, દશામાં વગેરે વગેરે…