Daily Archives: May 29, 2012


પત્રકારની કબર ઉપર – ઝવેરચંદ મેઘાણી 6

‘ઘણી સહેલાઈથી એ પૈસાદાર બની શક્યો હોત ! પોતાના અખબારનું ધોરણ જરીક નીચું ઉતારે એટલી જ વાર હતી, પરંતુ એ લાલચની સામે થવા જેટલીય જરૂર એને નહોતી પડી; કેમકે ધક્કો મારીને કાઢવો પડે તેટલો એની નજીક જ એ કમાવાનો વિચાર નહિં આવેલો ને ! સળગતી પ્રામાણિકતાને સેવનારો એ માનવ હતો એટલું કહેવું બસ નથી. એનામાં તો ઈજ્જતની વીરતા હતી.’ જેઓની મૃત્યુખાંભી ઉપર બેધડક આટલી પંક્તિઓ લખી શકીએ, એવા પુરુષો આજની અખબારી દુનિયામાં ક્યાં છે? કેટલાક છે ? થઈ ગયા છે કોઈ?