Daily Archives: April 9, 2012


એક નાસ્તિકતાભર્યો આસ્તિક લેખ….. 19

હાર્દિકભાઈ યાજ્ઞિક આમ તો અક્ષરનાદ પર વાર્તાઓ અને પદ્યરચના રૂપે ઘણી વાર ઉપસ્થિત થયા છે, તેમનો અવાજ પણ ઑડીયોકાસ્ટ વિભાગમાં આપણે માણ્યો જ છે, પરંતુ આજે વિચારમંથન અથવા તો કહો કે આત્મમંથન રૂપે એક નાનકડો પરંતુ ચોટદાર મુદ્દો તેઓ ઉપસ્થિત કરી રહ્યા છે. નાસ્તિકતા અને આસ્તિકતા વચ્ચે, ઈશ્વરને પામવાની, ભજવાની અને તેના અસ્તિત્વને સમજવાની મથામણો વચ્ચે જે સવાલ લગભગ દરેકને કોઈકને કોઈક ક્ષણે થતો હશે એવો સવાલ અને તેનો જવાબ શોધવાની મથામણ તેઓ પ્રસ્તુત લેખમાં કરે છે. તેમની મથામણને અંતે જવાબ તો સૌએ પોતે જ શોધવાનો છે, પરંતુ આ એક આંગળીચીંધણ છે, આત્મમંથન માટેની શરૂઆત છે. અક્ષરનાદને પ્રસ્તુત લેખ પાઠવવા બદલ હાર્દિકભાઈનો ખૂબ ખૂબ આભાર અને શુભકામનાઓ. આપના નિખાલસ પ્રતિભાવોનું હાર્દિક સ્વાગત છે.