Daily Archives: March 8, 2012


વિચારબિંદુઓ…. – સ્વામી વિવેકાનંદ 8

પીપાવાવમાં અમારી કંપની દ્વારા ઉજવાયેલ નેશનલ સેફ્ટી વીક અંતર્ગત ૬ માર્ચના રોજ મેં રક્તદાન કર્યું, એટલે ભાવનગર બ્લડબેંક તરફથી સ્વામી વિવેકાનંદે કહેલા વાક્યો અને વિચારોના લિફ્લેટ્સ કાર્ડનો એક સંગ્રહ ભેટ આપવામાં આવ્યો. આ સંગ્રહ ખરેખર વસાવવા લાયક છે, જે ફક્ત ૪૦ રૂપિયાનો છે અને ‘સ્વામી વિવેકાનંદની પ્રેરણાદાયી વાણી સફળતાના સૂત્રો’ એ શિર્ષક હેઠળ શ્રી રામકૃષ્ણ આશ્રમ, રાજકોટ દ્વારા સ્વામી વિવેકાનંદની ૧૫૦મી જન્મજયંતિ નિમિત્તે પ્રસિદ્ધ કરાયો છે. વ્યક્તિત્વ વિકાસ, ચારિત્ર્ય, સફળતા, ઈચ્છાશક્તિ, નિર્ભયતા, સામર્થ્ય, ત્યાગ અને આત્મશ્રદ્ધા જેવા વિષયો પર સુંદર સંકલન કરાયું છે. પ્રસ્તુત છે એ સંપુટમાંથી કેટલાક આફરીન કહી ઉઠીએ એવા વિચારબિંદુઓ.