Daily Archives: December 22, 2011


સ્ત્રીકેળવણી – નર્મદ 5

પ્રસ્તુત લેખમાં નર્મદના સ્ત્રીકેળવણી વિષયક વિચારોની અભિવ્યક્તિ સુપેરે અને સ્પષ્ટતાથી કરાઈ છે. ૧૮૩૩ થી ૧૮૮૬ના તેમના જીવનકાળમાં, આજથી સવાસો વર્ષોથી પણ વધુ પહેલા વ્યક્ત કરાયેલા એક સ્પષ્ટવક્તાને છાજે તેવા આ વિચારો નર્મદની વિશેષતા છે. એક કેળવાયેલી સ્ત્રી કુટુંબ માટે, ઘર માટે, સમાજ માટે અને આવનારી પેઢીઓ માટે કેટલું યોગદાન આપી શકે છે એ તેમણે આલેખ્યું ચે. આમ પણ નર્મદ કુરિવાજો, અંધશ્રદ્ધા અને વહેમને નાબૂદ કરવાની દિશામાં સદાય લખતાં, તો સ્ત્રી કેળવણીની તેમની આ તરફેણ એ સમયે તો એક સાહસિક પગલું જ ગણાય. પ્રસ્તુત છે સવાસો વર્ષો પહેલા સમાજસુધારણાની દિશામાં લખાયેલો એક અનોખો લેખ.