Daily Archives: October 18, 2011


બે ગઝલ – હર્ષદ દવે 2

પહેલાં ગઝલના વિષયોમાં ઈશ્વર, સુંદરી અને શરાબ એ ત્રણનો જ સમાવેશ થતો હતો. પરંતુ હવે વિષય-વૈવિધ્ય વધ્યું છે. શ્રી હર્ષદભાઈ દવેએ એક પ્રાયોગિક ગઝલ મે ૧૯૮૫ માં લખી હતી જે આતંકવાદ અને તેના પરિણામોની વિભીષિકા દર્શાવે છે. આ એક ‘અલગ’ રચના છે જે આજથી પચીસ વર્ષ પૂર્વે ‘રંગતરંગ’ માસિકમાં પ્રકાશિત થઇ હતી. બીજી એક રચના ‘અટાણે’ પ્રાકૃતિક તત્વોમાં પણ ‘બળિયાના બે ભાગ’ જેવો ન્યાય હોય છે તે જુદી રીતે દર્શાવવાનો તેમનો પ્રયત્ન છે. નમતું હંમેશાં નબળાએ જ જોખવાનું આવે અને તેનું સમર્થન અન્ય સમજુ તત્વો જ કરે એ કેવું! અક્ષરનાદને પ્રસ્તુત બંને ગઝલો પાઠવવા અને રજૂ કરવાની તક આપવા બદલ શ્રી હર્ષદભાઈનો ખૂબ ખૂબ આભાર.