યહુદી ધર્મની દસ આજ્ઞાઓ – અનુ. જીજ્ઞેશ અધ્યારૂ 6
આદર્શો અને ધર્મ આજ્ઞાપાલનના દસ એવા બોધક સૂત્રો છે જે યહુદી ધર્મના મૂળભૂત સિદ્ધાંતો મનાય છે. યહુદી ધર્મ વિશ્વના પ્રાચીનતમ ધર્મોમાંનો એક મનાય છે. ખિસ્તી, ઈસ્લામ અને બહાઈ ધર્મ પર તેની અસર હોવાનું વિદ્વાનો માને છે. હિબ્રુ અને યહુદી એમ બંને બાઈબલમાં તેનો ઉલ્લેખ છે. આ દસ આજ્ઞાઓ સિનાઈ પર્વત પર પયગંબર મોઝેઝને કહેવામાં આવી હતી. મોઝેઝ સિનાઈ પર્વત પર ચાલીસ દિવસ અને ચાલીસ રાતો રહ્યા હતાં જ્યાં તેમને દૈવી સાક્ષાત્કાર થયો હતો. ઈઝરાયેલના સંતાનોને મોઝેઝ દ્વારા પ્રભુની આ આજ્ઞાઓ પહોંચાડવામાં આવેલી. આ દસ આજ્ઞાઓ જીવનની મૂળભૂત બાબતોને સ્પર્શે છે. એ દસ આજ્ઞાઓ અને તેના અર્થો સહિતની વાત આજે અહીં રજૂ કરી છે.