Daily Archives: September 22, 2011


થાય એવું કે અલ્લાહની બાંગ પડે – હાર્દિક યાજ્ઞિક (Audiocast) 23

હાર્દિકભાઈની એક અનોખી કાવ્ય રચના, ‘ચાલને ગ્રંથોમાં ગરબડ કરી જોઈએ…’ પૂજ્ય શ્રી મોરારીબાપુએ તેમના કથાપાઠ દરમ્યાન થોડાક વખત પહેલા ઉચ્ચારેલી, એ રચનાની અંદર વસતા એકત્વના ભાવો ચોક્કસ તેમને સ્પર્શી ગયા હશે. એવી જ બીજી એક સુંદર રચના જે હાર્દિકભાઈના કસાયેલા, મખમલી અવાજમાં કાવ્યપાઠ સ્વરૂપે બે વખત સાંભળવાનો લહાવો મળ્યો છે, એ આજે પ્રસ્તુત કરી રહ્યો છું. જો કે આજે એ રચનાને એક સુંદર ગીત સ્વરૂપે અહીં રજૂ થઈ રહી છે. સ્વર આપ્યો છે ખ્યાતનામ ગાયક શ્રી જીતેન્દ્ર જોશીએ. વર્તમાન સમયના સૌથી વધુ ચર્ચાતા આ મુદ્દાને તેમણે એક સુંદર કલ્પનાદ્રશ્યમાં મઢી લીધું છે. આશા રાખીએ કે આ સ્વપ્ન જલદીથી સાચું પણ થાય. રચના અને ઑડીયો પ્રસ્તુત કરવાની તક અક્ષરનાદને આપવા બદલ હાર્દિકભાઈ અને જગદીશભાઈનો આ બદલ ખૂબ આભાર.