થઈ જાય તો! – હાર્દિક યાજ્ઞિક 6


માણસ માણસથી ત્રસ્ત થઈ જાય તો!
લાગણીઓ પોતેજ વ્યસ્ત થઈ જાય તો!

ઈચ્છાઓનુ આકાશ વિસ્તરવા માંડે,
ને ભરબપોરે સૂરજ અસ્ત થઈ જાય તો!

એકલતાના અંધકારે મરતી હોય જીંદગી,
ત્યાજ ઓળખાણ કોઈ મસ્ત થઈ જાય તો!

ભેગી કરી હોય ઢગલીઓમાં યાદોને,
કોઇને સ્મરતા એ અસ્તવ્યસ્ત થઈ જાય તો!

દુશ્મની બહુ થઇ ઈશ્વર સાથે ભલા,
દોસ્તી પણ એવી જબરદસ્ત થઈ જાય તો!

– હાર્દિક યાજ્ઞિક

હાર્દિકભાઈ યાજ્ઞિક અક્ષરનાદ પર તેમની કૃતિઓ સાથે સમયાંતરે પ્રસ્તુત થાય છે. આજે તેમની એક સરસ પદ્ય રચના ‘થઈ જાય તો…’ પ્રસ્તુત છે. ક્યારેક કોઈક અણધારી, અસહજ ઘટના થઈ જાય તો, એવી શંકા વ્યક્ત કરતા હાર્દિકભાઈ પદ્યની શરૂઆતની શંકાઓથી તેના અંત તરફ પહોંચતા અનોખી આશાનો તાંતણો દેખાડી જાય છે. આવી સુંદર રચના અક્ષરનાદ ને પ્રસ્તુત કરવાની તક આપવા બદલ હાર્દિકભાઈનો ખૂબ ખૂબ આભાર.

બિલિપત્ર

આપ ગૈરોંકી બાત કરતેં હૈ
હમને અપને ભી આઝમાયેં હૈ
લોગ કાંટો સે બચ કર ચલતેં હૈ
હમને ફૂલોં સે ઝખ્મ ખાયેં હૈ.

– હકીમ નાસિર


આપનો પ્રતિભાવ આપો....

6 thoughts on “થઈ જાય તો! – હાર્દિક યાજ્ઞિક

  • kiran mehta

    ખુબ જ સરસ, દરેક શેર માણવા જેવા છે. મારા તરફથી એક શેર………………
    દુનિયામા બધા દોસ્ત બની જાય તો,
    બોમ્બબ્લાસ્ટ બન્ધ થઈ જાય તો,
    માનવતા જીવીત થઈ જાય તો,
    રામરાજ્ય પાછુ આવે તો……………………………

  • Raj Adhyaru

    ઇછ્છ નુ આકાશ વિસ્તરતુ જાય ને મધ્યાન્હે સુરજ ડુબી જાય તો…….

    ખુબ જ સરસ …..રાજ

  • SANJAY C SONDAGAR

    આજે તો માણસ માણસ થી ત્રસ્ત થઈ ગયો છે !! લાગણી પણ ઓછી થઈ ગઈ છે… એવામા ઈશ્વર સાથે જ જબરદસ્ત દોસ્તી કરવાની જરૂર છે.

  • Harshad Dave

    માણસ માણસથી ત્રસ્ત થઇ ગયો છે/જાય તો? વિચારવા જેવું કથન છે. પણ પ્રભુ સાથે જબરદસ્ત દોસ્તી કરવા જેવી છે…વગર વિચાર્યે પણ કરીએ તો તેમાં કાઈ ખોટું નથી! સરસ રચના… હર્ષદ દવે.