Daily Archives: August 31, 2011


અક્ષરનાદ પર ૧૦૦૦ કૃતિઓનો પડાવ – એક આંતરદર્શન 24

આપ સૌના સહકાર, આશિર્વાદ અને શુભેચ્છાઓને લીધે આજના આ લેખથી અક્ષરનાદ.કોમ વેબસાઈટ ૧૦૦૦ કૃતિઓ પ્રસ્તુત કર્યાના પડાવ પર પહોંચી છે. એક ખૂબ વિશાળ વાચકવર્ગ સાથે, સતત પ્રોત્સાહન આપનાર, પડખે રહેનાર મિત્રો સાથે, વડીલો, વિદ્વાન સાહિત્યકારો અને શુભેચ્છકો સાથે – તેમની મદદે થઈ રહેલા વિકાસની ઝાંખી આપવાની ઈચ્છા અને મનમાં લાંબા સમયથી રહેલી વાત કરવાનો અને વધુ તો આંતરખોજ કરવાનો અવસર પણ આવા સમયે ઝડપી લેવાય તો સરસ મજાનો સંવાદ થઈ શકે એ જ હેતુથી આજની આ વાત મૂકી છે.