Daily Archives: August 2, 2011


બે અર્થસભર ગઝલો – જિતેન્દ્ર પ્રજાપતિ 8

મૂળ મહેસાણાના અને હાલ બગદાણા, તા. મહુવા પાસેના સરા ગામમાં પ્રાથમિક શિક્ષક એવા શ્રી જિતેન્દ્રભાઈ પ્રજાપતિ અત્યારની પેઢીના તરોતાઝા ગઝલકાર છે. અનેક સામયિકોમાં તેમની રચનાઓ છપાઈ રહી છે, સ્વીકારાઈ રહી છે. ગત મહીને ‘કવિતા’માં તેમની ગઝલ પ્રસ્તુત થઈ હતી. આજે ફરી તેમની બે સુંદર ગઝલ અહીં પ્રસ્તુત છે. આ પહેલા પણ તેઓની ઘણી રચનાઓ અક્ષરનાદ પર પ્રસ્તુત થઈ ચૂકી છે. પ્રથમ ગઝલમાં જ્યાં તેઓ જોષી પાસે જવાની વાતની ભૂમિકા સાથે અનેક અર્થગહન વાતો કહે છે, કઈ કઈ બાબતોના નસીબની જિજ્ઞાસા તેમને છે! જ્યારે બીજી ગઝલ અપ્રાપ્ય શક્યતાઓનો વિષય છે. બંને અર્થસભર ગઝલ ખૂબ સુંદર થઈ છે. અક્ષરનાદને પ્રસ્તુત ગઝલ પાઠવવા બદલ શ્રી જિતેન્દ્રભાઈનો ખૂબ આભાર.