Daily Archives: July 22, 2011


બે કાવ્ય રચનાઓ – ધ્રુવ ભટ્ટ 1

શ્રી ધ્રુવ ભટ્ટ સાહેબની પ્રસ્તુત બંને રચનાઓ અનોખા ભાવવિશ્વની નિપજ છે, પ્રથમ રચનામાં ક્ષણની – સમયની વાત કરતાં તેઓ સાધુવાદ તરફ ગતિ કરતા જણાય છે, એક ફિલસૂફની અદાથી તેઓ જ્યાં કાવ્યમાં ક્ષણ સ્વરૂપે જીવનકાળને કલ્પી બતાવે છે, ‘પળના દિવાલ બારી પળની રવેશ છે’ કહીને તેઓ જીવનની ક્ષણભંગુરતા દર્શાવે છે, અને અંતે ‘મેં એટલે સમયને એ રીત પારખ્યો છે’ કહીને જીવનની વ્યાખ્યા કરવાનો યત્ન પણ કરતા જણાય છે, તો બીજી રચના પ્રેમીઓના માનસજગતમાં ડોકીયું કરાવે છે, લાંબા સમયના સંગાથ છતાં પ્રેમીને મનમાં એક સવાલ, ‘મને પરણશો?’ ન પૂછી શકાયાનો વસવસો ઉગતો જણાય છે, પણ પછીની પંક્તિઓમાં પ્રેમની પરિભાષા સહજતાથી સમજાય એવી સુંદર રીતે કવિ આલેખે છે, ઉત્તરની નિરર્થકતા સમજાઇ જાય એવી સરળ વાત કહે છે. આ બંને રચનાઓ પાઠવવા અને પ્રસ્તુત કરવાની તક આપવા બદલ શ્રી ધ્રુવ ભટ્ટ સાહેબનો ખૂબ ખૂબ આભાર.