અમે સસ્તામાં વેચાયા… – કાયમ હઝારી 4
કહેવાય છે કે ઈશ્વરનો કારોબાર તદ્દન પારદર્શક અને સચોટ છે, પણ ગઝલકાર અહીં ખુદાને તેમની એ સચોટતા છતાં કેમ છુપાવું પડે છે એ વિશે સવાલ કરે છે. ખુદાને તથા સનમને એમ બંનેને લાગુ પડતી આ સમરસ ગઝલમાં તેમને શોધવા જતા પોતે ખોવાઈ ગયાનો અહેસાસ ગઝલકારને થાય છે. આ ગઝલમાં ખુદાને વિશે અથવાતો સનમને લઈને કવિને અનેક ફરીયાદો છે, તો માનવની સદાયની કુટેવો પર પણ તેઓ દર્દ વ્યક્ત કરે છે, પ્રીતનો પરોક્ષ ઈઝહાર પણ કરે છે અને અંતે મક્તાના શે’રમાં સર્વસ્વ સમર્પણનો ભાવ ગઝલને શ્રેષ્ઠતાના શિખરે પહોંચાડે છે. કાયમ હઝારી સાહેબની આ ગઝલ આમ એક સર્વાંગસંપૂર્ણ માણવાલાયક ગઝલ છે.