Daily Archives: May 19, 2011


એ સમયની વાત સાંભળ… – મીનાક્ષી ચંદારાણા 6

પ્રસ્તુત ગઝલ ‘એ સમયની વાત સાંભળ…’ બદલાતા સમય, આધુનિકીકરણ – શહેરીકરણ અને જીવનપદ્ધતિઓ સાથે તાલ મેળવી રહેલા માનવે ગુમાવેલી અનેક યાદગાર વાતોનો સુંદર સંચય લઈને આવે છે. આ બધી સવલતોને કાંઈ વર્ષો વીતી ગયા નથી… હમણાં, આ નજીકના ભૂતકાળમાં આપણી પાસે આ બધુંય હતું, પણ આજે એને કોરાણે મૂકીને આગળ વધી ગયેલા આપણે હવે ફક્ત એ સમયની વાત જ સાંભળવાના. અક્ષરનાદને આ સુંદર રચના મોકલવા અને પ્રસ્તુત કરવાની તક આપવા બદલ મીનાક્ષીબેન ચંદારાણાનો ખૂબ ખૂબ આભાર.