Daily Archives: March 17, 2011


બે કૃષ્ણ કાવ્યો – હરિન્દ્ર દવે 4

શ્રી હરિન્દ્ર દવેની અનેકો રચનાઓમાં કૃષ્ણપ્રેમ અચૂક ઝળકે છે. તેમની આવી જ કૃષ્ણના રંગે રંગાયેલ રચનાઓનો સંગ્રહ એટલે સંગ્રહ ‘મારગે મળ્યા’તા શ્યામ’. આ સુંદર સંગ્રહમાંથી આજે પ્રસ્તુત છે બે કૃષ્ણપ્રીતીની રચનાઓ. પ્રથમ રચનામાં જ્યાં કૃષ્ણના વાંક દેખાડીને ગોપીઓ તેમની હાજરીને ઝંખે છે તો બીજી રચના, ‘રથના ચીલામાં આંખ પૂરો’ તેમના મથુરા ચાલ્યા ગયા પછીની રાધા અને ગોપીઓની મનોસ્થિતિનું પ્રભાવી વર્ણન કરી જાય છે. સુંદર ઉપમાઓને લીધે આ કાવ્ય પણ માણવાયોગ્ય અને મનભાવન થયું છે. તો સાથે એ જ પુસ્તકમાંથી કાંગડા શૈલીમાં અંકિત થયેલી રાધા કૃષ્ણની છબી મૂકી છે.