Daily Archives: March 9, 2011


મન મોર બની થનગાટ કરે – શ્રી ઝવેરચંદ મેઘાણી 6

આજે શ્રી ઝવેરચંદ મેઘાણીની પૂણ્ય-તિથિ છે. ( 28 ઑગષ્ટ 1896 — 9 માર્ચ 1947 ) આજે તેમની કલમની પ્રસાદી, “મન મોર બની થનગાટ કરે…” વિશે તેમણે 1944 માં કહેલું, “કવિવર રવીન્દ્રનાથનું અતિ પ્રિય મૂળ ‘નવવર્ષા’ મેં એમના જ શ્રીમુખેથી કલકત્તા ખાતેના એમના મકાને ઉજવાયેલ ‘વર્ષા-મંગલ’માં ઘણું કરીને 1920માં સાંભળેલું, અને એમના જ કંઠે ગ્રામોફોન રેકર્ડમાં ઊતરેલ હોવાનું જાણ્યું છે. આ અને આવાં અનેક ઋતુકાવ્યો રવીન્દ્રનાથે ઋતુના ઉત્સવો ઊજવવા અને અભિનય સાથે બોલી સંભળાવવા માટે યોજ્યાં છે. અનુવાદનો વૃત્તબંધ ચારણી લઢણે મારો ઘડેલો છે. એક કડી રહી ગઇ છે.”