Daily Archives: March 2, 2011


સર્વતંત્ર સ્વતંત્ર ‘શિવ’ – મકરન્દ દવે 2

વિદુરે મૈત્રેયને પ્રશ્ન પૂછ્યો કે શિવ શીલવાનોમાં શ્રેષ્ઠ છે અને દક્ષ પુત્રી વત્સલ છે તો પછી દક્ષે સતીનો અનાદર અને શિવનો દ્વેષ શા માટે કર્યો ? જે શાંત, નિર્વૈર, આત્મારામ મહાદેવ છે તેનો ભલા, કોઈ દ્વેષ કરી શકે ? અને આ જમાઈ તથા સસરા વચ્ચે દ્વેષ પણ એવો કે જેમાં સતીને દેહત્યાગ કરવો પડે ! આનું કારણ શું ? આ પ્રશ્નના જવાબ સાથે મહાશિવરાત્રીના પાવન પર્વ નિમિતે આજે શિવ અને સતી વિશેની અનેરી સમજણભરી વાત કહી ગયેલા આપણા સાંઈ મકરન્દની કલમે માણીએ આપણી જ કથાઓનો એક નવો આયામ અને સ્થૂળ નહીં પણ સૂક્ષ્મ એવો અનેરો મર્મ.