Daily Archives: February 4, 2011


લાંચ – રતિલાલ બોરીસાગર 5

પ્રસિદ્ધ તત્વચિંતક ખલિલ જિબ્રાનના પુસ્તક ‘ધ પ્રોફેટ’નું સ્વ. શ્રી કિશોરલાલ મશરૂવાળાએ કરેલ સુંદર ભાષાંતર ‘વિદાય વેળાએ…’ ની શૈલીમાં લખાયેલી હાસ્યકટાક્ષ રચનાઓનું શ્રી રતિલાલ બોરીસાગરનું પુસ્તક ‘જ્ઞ થી ક સુધી’ એક સાદ્યાંત મલકાવતું, કટાક્ષો રૂપી ચાબખા વીંઝતું ખલિલ જિબ્રાને જે વિષયોનું તત્વચિંતન કરેલું એ જ વિષયોના વિશાળ વિષયરસને આવરી લઈને, ‘લગ્ન’ થી ‘મૃત્યુ’ સુધીના વિષયો વિશે વ્યંગની ધારથી લખ્યું છે. અને એકે એક શબ્દ માણવાલાયક, વિચારવ્યસન લાયક બન્યો છે. આ જ પુસ્તકમાંથી આજે પ્રસ્તુત છે ‘લાંચ’ વિશે ચિંતનનું વજન દૂર કરીને નિપજતુ હાસ્ય.