Daily Archives: January 21, 2011


કાશ્મીરના સરોવરો – શાન્તાબહેન કવિ 2

મહીપતરામ રૂપરામ નીલકંઠ દ્વારા ઈ.સ. ૧૮૬૨માં પ્રકાશિત, ગુજરાતી ભાષાનો જેને પ્રથમ પ્રવાસગ્રંથ મનાય છે તે ‘ઈંગ્લાંડની મુસાફરીનું વર્ણન’ અને કરસનદાસજી મૂળજી દ્વારા ૧૮૬૬માં પ્રગટ ‘ઈંગ્લાંડમાં પ્રવાસ’ આપણા આદ્ય ભ્રમણવૃતો છે. આ પુસ્તકોનું ઐતિહાસીક મૂલ્ય છે તો પ્રવાસવર્ણનની ગુજરાતી પરંપરાના તે સ્તંભો છે. આ જ પુસ્તકોની શ્રેણીમાં એક મહિલા લેખીકા દ્વારા, ૧૯૩૬માં શ્રી શાન્તાબહેન ચી. કવિએ કરેલા કાશ્મીર પ્રવાસનું વિગતપ્રચૂર છતાં સરળ અને રસપ્રદ શૈલીમાં કરેલું પ્રવાસવર્ણન તેમનાં પુસ્તક ‘કાશ્મીર’ (૧૯૫૪) માંથી મળી આવે છે. અડધી સદીથી પણ વધારે સમય પહેલા લખાયેલા આ પુસ્તકના વર્ણનો તથા વિગતો કાશ્મીર આ ધરતી પરનું સ્વર્ગ હતું એ વાતની સહજ પુષ્ટિ કરે છે. તો પ્રવાસવર્ણનના લેખ લખતી વખતે વિગતો અને સ્થળવિશેષ વર્ણનો સાથે પ્રવાહી શૈલી કઈ રીતે જાળવી રાખી શકાય એ કળા પ્રસ્તુત લેખ પરથી સમજી શકાય છે. પ્રવાસવર્ણનોના ગુજરાતીના અનેક પુસ્તકોની વચ્ચે આ એક આદ્યપુસ્તક સમાન રચના છે એમાં બે મત નથી.