ને હું એકલો – અલ્પ ત્રિવેદી 7
શ્રી હરેશભાઈ ત્રિવેદી, ‘અલ્પ’ આપણા અનોખા ગઝલકાર છે અને ટૂંકી બહેરની ગઝલોની રચનામાં તેમની હથોટી ખૂબ પ્રસંશા પામી છે. પ્રસ્તુત ગઝલ તેમના ગઝલસંગ્રહ પછી… માંથી લેવામાં આવી છે. ગઝલસંગ્રહ પછી… નો આસ્વાદ આપણે આ પહેલા અક્ષરનાદ પર માણ્યો હતો. ‘ને હું એકલો’ એવા અસામાન્ય રદીફનો ઉપયોગ કરીને તેમણે અનેરી સુંદરતા સર્જી છે સાથે ગઝલનો આંતરીક ભાવ પોતાની એકલતાથી શરૂ થાય છે અને પછી વિસ્તરતો જાય છે, ગઝલના અંત તરફ જતાં એ વિશ્વમાં વ્યાપ્ત થઈ જાય છે.