શ્રદ્ધા અને અંધશ્રદ્ધા નો ભેદ – જીજ્ઞેશ ચાવડા 19


{ લગભગ ચોક્કસ સમયાંતરે મળતી રહેતી શ્રી જીજ્ઞેશ ચાવડાની ગદ્ય પદ્ય રચનાઓ અક્ષરનાદ પર આપણે પહેલા પણ માણી છે, આજે તેમના તરફથી  શ્રદ્ધા અને અંધશ્રદ્ધા વિશે, તેમના સૂક્ષ્મ ભેદ વિશેની થોડીક વાત.  આ મહત્વપૂર્ણ પરંતુ અછૂતા વિષય પર સામયિકોમાં – બ્લોગજગતમાં સમયાંતરે ચર્ચાઓ થતી રહે છે. શ્રદ્ધા, અશ્રદ્ધા અને અંધશ્રદ્ધાના તફાવત અને તેની સૂક્ષ્મ ભેદરેખા વિશે અહીં  તેમણે વિશદ છણાવટ કરી છે. તેમના વિચારોની સ્પષ્ટતા અને ચિંતનનું ઊંડાણ ખરેખર  વિષયને રસમય બનાવી દે છે. શ્રી જીજ્ઞેશ ચાવડાનો સંપર્ક +91 97277 77404 પર કરી શકાય છે. }

શ્રદ્ધા અને અંધશ્રદ્ધાના મહાસાગરમાં આજે પ્રત્યેક માનવ ભવસાગર પાર ઉતરવાની મહેચ્છા કે ઝંખના ઘરાવે છે.

વઘારે પડતી શ્રદ્ધા બાજુની દોટમાં માનવ કોમ્પુટર કે અન્ય જીવન જરૂરીયાતની વસ્તુ અતિ ઉત્સાહ અને ઉમંગથી વસાવે છે. અને એજ ચીજવસ્તુ આગળ શ્રીફળ વધેરી ચાંદલા કરતા જોવા મળે છે. આ પ્રક્રિયા આપણને શ્રદ્ધા અને અંધશ્રદ્ધા બંન્ને ના દર્શન કરાવે છે. જે નવી વસ્તુ છે, તેનું પૂજન અર્ચન જરૂરી છે. જેને આપણે શ્રદ્ધા કહેશું અને જો તેનું પૂજન અર્ચન નહી કરવામાં આવે તો વસાવેલી સવલત યોગ્ય વળતર નહી આપે. એવા વિચાર ને આપણે અંધશ્રદ્ધા કહીશું, અને આમા વર્તનારા મહામાનવોને આપણે ક્રમશ: બે વર્ગમાં વિભાજીત કરીશું – શ્રદ્ધાળુ અને અંધશ્રદ્ધાળુ.

આજે આપણે મહામાનવોની અંઘશ્રદ્ધા વિષે શક્ય તેટલું સંક્ષીપ્તમાં વિવરણ કરીશું, પહેલાંના યુગમાં લોકો વઘુ અંધશ્રદ્ધાળુ હતા તથા અત્યારે ભણતરનું વઘતું જતુ પ્રમાણ માણસને તેમાંથી મુક્ત કરી રહ્યું હોય તેવું પ્રથમ દ્રષ્ટીએ જોવા જાણવા અને માણવા મળે છે, પરંતુ આ શું? જેમા ટેકનોલોજીનો વિકાસ થતો જાય છે તેમ અંધશ્રદ્ધાના પ્રવર્તકો તેનો દૂરૂપયોગ કરીને આપણને અંધશ્રદ્ધાની ઊંડી ખાણ કે જેમાંથી બહાર નીકળવું મૂશ્કેલ જ નહી પરંતુ અશક્ય છે, તે તેરફ ખેચાણ ઉત્પન્ન કરી રહ્યાં છે. અને આપણે તેની પોચી ચીકણી માટીમાં ઘસડાતા જઈએ છીએ. જેના થોડા ઉદાહરણ નીચે આપેલા છે.

તમે ઘણી વખત મદારીનો ખેલ જોયો હશે. જેમાં નાગદાદાના કંડીયા પર રૂ મૂકી કહે છે. “દાદા આના પર ફૂંકા મારો” અને જોત જોતામાં તે ‘રૂ’ સળગી ઉઠે છે, અને આપણને નમસ્કાર કરી રૂપિયા ફેંકીએ છીએ, પરંતું ‘રૂ’ એટલા માટે સળગે છે કારણ કે, તેમાં ફોસ્ફેટ હોય છે. અને ઓક્સિજનના સંપર્કમાં આવતાંની સાથે સળગે છે. તેમજ મદારી આપણા હાથમાં મંત્રેલી ઘૂળ આપે છે અને મુઠ્ઠી વાળવા કહે છે. થોડા સમય બાદ આપણા હાથની આજુબાજુ સુગંઘ આવે છે. અને તે કહે છે દાદાને આપે આપેલા રૂપિયાનો ઘૂપ પહોંચી ગયો છે. પરંતુ, જ્યારે તે આપણને ઘૂળ આપે છે ત્યારે તેનો બીજો હાથ ની આંગળીઓ અત્તરવાળી હોય છે. જે આપણી હથેળીની આજુબાજુ અડકે છે, જેથી ત્યાં સુગંઘ આવે છે.

શ્રીફળમાંથી કંકુ, ચુંદડી વગેરે નીકળતા પણ આપે જોયા હશે. જે શ્રીફળની આંખમાંથી ત્યાં ઘુસાડી ફેવીકોલથી તેના છાલાને ચીપકાવી દેવામાં આવે છે, કંકુના પગલા, લીંબુ કાપવાથી તેમાંથી નિકળતું લોહી તે પણ ક્રમશ: હળદર અને સોડાના મિશ્રણથી કંકુના પગલાં પડે છે અને લીંબુ ને કાપવામાં ઉપયોગમાં લેવામાં આવતું ચપ્પુ પર એસિડીક દ્રાવણ લગાડેલું હોય છે આ બઘું જોઈને એ ધૂતારાને આપણે નમસ્કાર કરી રૂપિયાનો વરસાદ કરીએ છીએ.

આજે ચાર રસ્તાની ચોકડી પર ઉતાર કરી મૂકેલ લાલ ઘાગાથી વીંટેલ નાળિયેર કે ખીલી મારેલું લીંબુ અને તેને ફરતે પાણીથી કરેલ સર્કલ જોઈ ભણેલો ગણેલો અને અંધશ્રદ્ધામાં નહી માનનારો માનવ પણ તે સર્કલ થી બહાર ચાલે છે.

ઘણાં તો સામાન્ય માથાના દુખાવાને પ્રથમ નજરે એવો વિચાર કરે છે કે નજર લાગી હશે કે કાઇક કસમયે અજાણ જગ્યા પર પગ પડ્યો હશે. બીજી બાજુ હાથની આંગળીયોમાં ગ્રહો ના નંગા પહેરનારા અત્યારે ઠેર ઠેર જોવામળશે, કદાચ એ પણ સાચું હશે પરંતું દસ માંથી આઠ આંગળીમાં નંગા પહેરનાર ને તમે શું કહેશો, શ્રદ્ધાળુ કે અંધશ્રદ્ધાળુ?

હાથની ચાલાકી અને ટેકનોલોજીનો દૂરઉપયોગ આજે માનવોને ડરાવવાના ઉપયોગમાં લેવામાં આવે છે. એક ગુરુ ના બે શિષ્યો અત્યારે એકા મહાન જાદુગર અને બીજો ભગવાન તરીકે પૂંજાય છે.

હવે વાત કરીએ કદી સપ્તાહમાં એકવાર ભૂલથી સ્નાન કરતાં, આપણા જૂના અને જાણીતા, પોતાની જાતને આદ્યશક્તિના ઉપાસક તરીકે ગણાવતા ભૂવાઓની. સંગીતની શક્તિથી જો દિપક રાગથી દિપ પ્રજ્વલીત થતો હોય અને મલ્હાર રાગથી વરસાદ વરસતો હોય તો શું ડાકલા ના તાલથી ભૂવાને ઘ્રૂજારી ના આવી શકે પરંતુ માનવીને એ નથી સમજાતું ને કે તેમાં માતાજીના પ્રવેશને પ્રાધાન્ય આપી, તે જેમ કહે તેમા કરવા તૈયાર થઈ જાય છે અને કેટલાક તો પોતાની પત્ની કે સંતાનની હત્યા કરતાં પણ ખચકાતા નથી. ઘણા તાંત્રીકને કાળા અડદના દાણા બીજા પર બીજા પર ફેંકી મારી નાંખવાની ધમકી આપ્યાના ઉદાહરણ તમે જરૂર સાંભળ્યા હશે. એ જોઈ કે સાંભળી ને આપણે તે વ્યક્તિથી ડરવા લાગીએ છીએ અને તેજ આપણો ગુરુ બની જાય છે.પરંતુ તે જે દાણા ફેંકે છે તેના પર પોઈઝન (ઝેર) લગાવેલ હોય છે.જે માણસના શરીરને અડકતા તેનું મૃત્યુ પણ થઈ શકે છે. હવે આપણને એ વિચાર ચોક્ક્સથી આવશે કે તો પછી તાંત્રીકને તે અડદના દાણાની અસર કેમ ન થઇ? પરંતુ તે પણ એકા હાથ ચાલાકી છે. તેણે પોતાના હાથ પર એલોવેરાના રસના પાંચ છ પડ ચડાવેલા હોય છે. જેથી તેના પર અમૂક સમય સુઘી તે ઝેરની અસર થતી નથી. અને આપણે એવા ગઠીયાઓને ચમત્કારી ગણી પ્રણામ કરીએ છીએ. જીભ કાપવી, ગાલમાં સળીયા આરપાર કરવાં આ પણા આપણને ડરાવવાની એક કળા છે.

ઘણી વખત સળગતા દેવતા પર ચાલતા લોકો પણ જોયા હશે, તેનું પણ એક કારણ છે, અગ્નિ ત્રણ સેંકડ સુઘી આપણને દઝાડતી નથી, અને આપણે સામાન્ય માણસ પણ તેના પર ચાલી શકીએ છીએ, અને જો આ સાચુ હોય તો તે માણસ આરામથી તેના પર કેમ ન ચાલી શકે? તથા ઉકળતા તેલમાંથી પુરી કાઢી પોતે સાચા છે એવું સાબીત કરે છે. તે તેલ ઉકળતુ એટલા માટે દેખાય છે કારણા કે તેમાં લીંબુનો રસ નાંખ્યો હોય છે.

આવા કેટલાય બનાવટી ચમત્કારીને આપણે તેના ચમત્કારોમાં ગૂંચવી રાખ્યાં છે. ભગવાન સાથેની આપણી અનન્ય શ્રદ્ધા અનંત કાળોથી ચાલી આવી છે. જો આપણને તેનામાં શ્રદ્ધા હોય તો પછી આ બઘા ધૂતારા પાછળ દોટ લગાડવાથી શું ફાયદો? ઘણાં એવું માને છે કે ભગવાન નથી પણ તે વિજ્ઞાન છે. મતલબ તો એક જ છે, કે આ ગ્રહોની ગતિ સજીવા સૃષ્ટિ વગેરે ને ચલાવતી કોઈક શક્તિ તો જરૂર છે અને જેણે ઘણા ભગવાન માને છે અને ઘણા વિજ્ઞાન. અંતમાં માત્ર આટલું જ કહીશ:

“શ્રદ્ધાનો દિપક સદા પ્રજ્વલિત રહે આપણા અંતરમાં,
અંધશ્રદ્ધાનો ક્ષણીક વિચાર કદી ના આવે જીવનમાં.”


Leave a Reply to SharadCancel reply

19 thoughts on “શ્રદ્ધા અને અંધશ્રદ્ધા નો ભેદ – જીજ્ઞેશ ચાવડા

  • Sunil Gupta

    Jigneshbhai,
    khubaj sundar lekh chhe.aapna darshavela prayogo amari amdavad sthit sanstha “amdavad rationalist association”jaher karyakramo dwara batavie chhiye.jo koi mitrone aava karyakram yojvama ras hoy to mane mail karsho.
    sunil.guptahm@gmail.com

  • parin.patel

    hiiiiiiiiii nice jigabhai maja aavi gayi saro lekh 6 dareke vanchvo joie aa lekh aane gare gar sudhi pohchadavo joie jethi badha jani sake satya haquiqut

  • Mahesh Makvana

    જિગ્નેશ ભાઇ ખુબજ સરસ

    અંધશ્રદ્ધા છે આંધળી, વહેમને વંટોળે વહે;
    અતીશ્રદ્ધા છે અવળચંડી, વેવલાપણાંનાં વાવેતર કરે.

    યુરોપે અટપટાં યંત્રો શોધી ફીટ કર્યાં ફૅક્ટરીમાં;
    આપણે સીદ્ધીયંત્રો બનાવી, ફીટ કર્યાં ફોટામાં.

    પશ્ચીમે ઉપગ્રહ બનાવી, ગોઠવી દીધા અંતરીક્ષમાં;
    આપણે ગ્રહોના નંગ બનાવી, મઢી દીધા અંગુઠીમાં.

    જાપાન વીજાણુ યંત્રો થકી, સમૃદ્ધ બન્યું જગમાં;
    આપણે વૈભવલક્ષ્મીનાં વ્રતો કરી, ગરીબી રાખી ઘરમાં.

    અમેરીકા વૈજ્ઞાનીક અભીગમથી બળવાન બન્યો વીશ્વમાં;
    આપણે ધાર્મીક કર્મકાંડો થકી, કંગાળ બન્યા દેશમાં.

    પશ્ચીમે પરીશ્રમ થકી, સ્વર્ગ ઉતાર્યું આ લોકમાં;
    આપણે પુજાપાઠ–ભક્તી કરી, સ્વર્ગ રાખ્યું પરલોકમાં.

    ઍડવર્ડ જેનરે રસી શોધી, શીતળા નાબુદ કર્યા જગમાં;
    આપણે શીતળાનાં મંદીર બાંધી, મુર્ખ ઠર્યા આખા જગમાં.

    પર્યાવરણ–પ્રદુષણથી જયારે જગત આખું છે ચીંતામાં;
    આપણે વૃક્ષો જંગલો કાપી, લાકડાં ખડક્યાં ચીતામાં..

    વાસ્તુશાસ્ત્રનો દંભ ને વળગાડ, લોકોને પીડે આ દેશમાં;
    ફાલતુશાસ્ત્ર છે એ, છેતરાશો નહીં, ઠગનારા ઘણા છે આ દેશમાં.

    સાયંટીફીકલી બ્લડ ચૅક કરી, ઍંગેજમેન્ટ કરે પશ્ચીમમાં,
    સંતાનોને ફસાવી જન્મકુંડળીમાં, લગ્નકુંડાળાં થાય આ દેશમાં.

    લસણ–ડુંગળી–બટાકા ખાવાથી પાપ લાગે આ દેશમાં,
    આખી ને આખી બેન્ક ખાવા છતાં પાપ ન લાગે આ દેશમાં

    Reply

    • JAYESH.R.SHUKLA."NIMITT"

      ભાઇશ્રી;..નમસ્તે….તમારું આ કાવ્ય ખૂબ ગમ્યું…ધન્યવાદ..ધન્યવાદ…ધન્યવાદ…
      ****** મારી તમને શુભેચ્છાવો.***
      તમારી આ કવિતા મને મેલ કરશો?**આભાર**.
      **જયેશ શુક્લ.”નિમિત”
      ૨૫.૦૯.૨૦૧૩.બુધવાર॰

  • Sharad

    મારા ગુરુજી કહેતા,” ‘શ્રદ્ધા’ સમાધિમા ખિલેલુ ફૂલ છે. પરન્તુ આજે હુ માનુ એ શ્રદ્ધા અને બીજા માને એ અંધશ્રદ્ધા એમ વ્યાખ્યા થઇ ગઇ છે.”

  • jakir rindh

    hai mara param mitr kharekhar te je vat kari te khare khar sachi chhe dear i proud of u tari aa vat tu kahe to hu mara press repoter mitrne kahi paper ma chhapi loko sudhi pohchadva mangu chhu.

  • હેમંત પુણેકર

    જીગ્નેશભાઈ,

    આપની સાઈટ પર પ્રગટ થતાં લેખ વાંચતો હોંઉ છું. ગમે પણ છે.

    પણ આ લેખમાં દરેક જગ્યાએ શ્રધ્ધા ની જગા એ શ્રઘ્ઘા લખેલ છે. શ્રધ્ધા પણ આમ જુઓ તો ખોટી જોડણી છે. સાચી જોડણી શ્રદ્ધા (shraddhaa) છે. આમેય ગુજરાતીમાં ઘ અને ધ માં બહુ ફરક નથી એટલે ગડબડ થાય છે. ઘસારો ધસારો થઈ જાય છે. ઘણાં વર્ષો સુધી મારો એક મિત્ર ઘૃણાને ધૃણા કહેતો. તમારી સાઈટ ખૂબ વંચાય છે ત્યારે તમે આ વાતનું ધ્યાન રાખશો એવી આશા રાખું છું.

    લેખનું મથાળુ સુધારશો. ઉપરાંત અંઘશ્રદ્ધાનું અંધશ્રદ્ધા, વઘેરીનું વધેરી, ઘૂતારાનું ધૂતારા, પ્રાઘાન્યનું પ્રાધાન્ય, ઘમકીનું ધમકી કરવાનું બાકી છે. આખો લેખ જ એકવાર આરામથી વાંચી જજો તો આ તકલીફ નહીં થાય.

    • AksharNaad.com Post author

      પ્રિય હેમંતભાઈ,

      આપની મુલાકાત અને પ્રતિભાવ બદલ આભાર.

      હા, ભૂલ હતી, સુધારી લીધી છે. આપના આ સૂચન બદલ પણ ખૂબ આભાર.

      આજે પ્રથમ વખત અક્ષરનાદની ટાઈપ કરવાની મહેનત “આઊટસોર્સ” કરેલી….. લાગે છે ઓબામા ની જેમ અમારે પણ આ “આઊટસોર્સિંગ” કરવું મુશ્કેલ છે…. 🙂

      ધન્યવાદ…

  • Raj Adhyaru

    જન જાગ્રુતિ માટે ખુબ જ સરસ લેખ….જો આપ અનુમતેી આપો તો હુ આ લેખ ને આપના સાદર સહ્યોગ થેી મારા ગ્નાતેી ના અન્ક મા પ્રસિદ્ધ કરવા માગુ છુ.

    • AksharNaad.com Post author

      પ્રિય રાજભાઈ,

      આપને લેખ ગમ્યો તે જાણી આનંદ થયો. આપની જ્ઞાતિના અંકમાં ચોક્કસ પ્રસિધ્ધ કરી શકો છો, ફક્ત લેખકનું નામ અને લેખની લિન્ક મૂકવા અનુગ્રહ કરશો.

      ધન્યવાદ
      જીજ્ઞેશ અધ્યારૂ