Daily Archives: January 13, 2010


ખિસકોલી – ઉમાશંકર જોશી 4

લોક રામાયણમાં આવતા આ નાનકડા પ્રસંગ પરથી કવિશ્રી ઉમાશંકર જોશીએ આ સુંદર ગીત રચ્યું છે. નાનકડું કાર્ય પણ જો પૂરી નિષ્ઠા અને ખંતથી થાય તો સફળતા અવશ્ય મળે જ છે. ખિસકોલીની ધૂળમાં આળોટી જ્યાં વાનરો રીંછો વગેરે લંકા જવા માટે સેતુ બનાવી રહ્યા છે ત્યાં જઈ ખંખેરવાની વૃત્તિ પ્રભુકાર્યમાં યોગદાન માટેની તેની અડગ ભાવના બતાવે છે. પ્રભુ તેને પોતાનો નાનકડો સૈનિક કહે છે અને એવા નિષ્ઠાવાનને લીધે જ તેઓ સીતાને મેળવશે તેવો આત્મવિશ્વાસ પણ તેઓ પ્રગટ કરે છે. પ્રભુ ખીસકોલીની પીઠે હાથ ફેરવે છે ત્યારે તેની પીઠે પટ્ટા પડ્યા છે તેવો સુંદર ખુલાસો પણ તેઓ કરે છે. ગીતાના “ફળની ઈચ્છા વગરના કર્મની વાત અહીં ખૂબ સુંદર રીતે વણી લેવાઈ છે.