Daily Archives: November 21, 2009


આપવું એટલે… – જીગ્નેશ અધ્યારૂ 1

દાન જો જમણા હાથે થાય તો ડાબાને ખબર ન પડવી જોઇએ એ મતલબની કહેવત આપણે ત્યાં ખૂબ સંભળાય છે. દાનનો મહીમા ખૂબ ગવાયો છે, સોરઠી પરંપરામાં દાનની મહિમા અને તેના લીધે મળતા સંતોષ, નમૂનેદાર કિસ્સાઓ અને એવી અનેક મહાન દાનવીર હસ્તિઓ વિશે કહેવાયું છે, પરંતુ પ્રસ્તુત સમયમાં, જ્યારે તેની ખૂબ જરૂરત છે ત્યારે જ લોકો આવું કરતા ખચકાય છે. સહાય કરવામાં, પ્રભુએ આપણને જે આપ્યું છે તે જરૂરતમંદ સુધી પહોંચાડવામાં જે અનેરો આનંદ મળે છે, તે અવર્ણનીય છે. આવી જ કાંઇક વાત કહેવાનો અહીં પ્રયત્ન છે.