Daily Archives: September 2, 2009


લઘુ કાવ્ય રચનાઓ – સંકલિત 3

લઘુકાવ્યો એ કોઇ કાવ્યનો ફક્ત એક ભાગ માત્ર જ નથી. સાચુંકલુ લઘુકાવ્ય એ છે જેમાં શબ્દોને સર્જકે શોધવા પડતાં નથી પણ શબ્દો તેને શોધતાં ગોઠવાઇ જાય એમ લાગે છે. માર્મિકતા એ લઘુકાવ્યનું આગવું લક્ષણ છે. કહેવાનું સચોટતાથી કહે, અને તે ય તત્વશીલ એ લઘુકાવ્ય. એ દીપિકા છે, અનુભૂતીની આરતીનો ડંકો છે. આજે માણો થોડાક આવાંજ લઘુકાવ્યો.