Daily Archives: February 25, 2009


ખાબોચીયામાં રમો, ખુશાલભાઈ – શ્રી મકરંદભાઈ દવે 3

ખાબોચિયામાં રમો, ખુશાલભાઈ, ખાબોચીયામાં રમો પેટ ફુલાવી, પહોળા થઈને, જીવ જંતુડા જમો, ખુશાલભાઈ, ખાબોચીયામાં રમો   સૌથી મોટું ખાબોચીયું, તમ મોટો દોરદમામ, એમાંયે આ એક તમારું શું મોટુંમસ કામ ! સૌથી મોટા તમો, ખુશાલભાઈ, ખાબોચીયામાં રમો   રૈયત તો છે રાંક, બિચારી બિલ્લી, બકરું ઘેટું, કોઈ ભલે માથું કાઢે શું કરશે મારું બેટું? દાંત ભીંસીને દમો, ખુશાલભાઈ, ખાબોચીયામાં રમો   ધમધખતો જો ધોમ ધખે તો સૂરજને શું કે’વું? તમ દરિયાનો દાટ વળે તો બોલો ક્યાં જઈ રે’વુ? ટીપું જળ માટે ટળવળતા, નીચા થઈને નમો, ખુશાલભાઈ, ખાબોચીયામાં રમો  – શ્રી મકરંદભાઈ દવે એક જ રચનાના અનેકવિધ અર્થો કાઢી શકાય એવી શ્રી મકરંદભાઈની રચનાઓમાં આ એક રચના મારા હ્રદયની ખૂબ નજીક છે. તેની મારી સમજ આ પ્રમાણે થઈ છે. પ્રાથમીક રીતે એક દેડકાના ખાબોચીયામય જીવન વિશે, તેની સંપતિ અને તેના મનોભાવો વિશે લખાયેલી આ કવિતા તેના ગૂઢ અર્થમાં જીવનનું એક અદમ્ય રહસ્ય સમજાવે છે. ખુશાલભાઈ ના નામે, તેમના ઉદાહરણ દ્વારા શ્રી મકરંદભાઈ આપણને જીવનની એક કડવી વાસ્તવિકતા બતાવે છે. આપણે બધાં, પોતપોતાના ખાબોચીયામાં, આપણા ‘હું’ પણામાં જીવીએ છીએ. આપણું ખાબોચીયુંજ સૌથી મોટું અને આપણો દોરદમામ, આપણી નાની વાત પણ જાણે ખૂબ મહત્વની હોય તેમ આપણે સાહજીક રીતે માની લઈએ છીએ. પણ એક દરીયો થોડેક જ દૂર વસે છે, એક અફાટ સાગર કે જે આપણા નાના ‘હું’ પણાથી ખૂબ ઉંચે, ખૂબ મોટો છે તેને આપણે સમજવા માંગતા નથી. જીવનના રસ્તે થોડેક જ આગળ મુક્તિ છે પણ આપણે રસ્તાને જ મંઝિલ માની લઈએ છીએ, કોઈ આપણી વિરુધ્ધ કાંઈ પણ કહે, અરે આપણો કોઈ વાંક કે ભૂલ પણ બતાવે તો આપણે જાણે સો ટકા સાચા જ […]