Daily Archives: April 19, 2008


મુશાયરો – વિષય છે મૃત્યુ 5

મૃત્યુ એટલે જીવન નો આખરી મુકામ, સફર નો અંત અને અંત પછીનો આરંભ. કોઈ ની ઈચ્છા પૂછી ને નથી આવતુ આ મોત, એ તો ક્યારેક ખૂબ ભયંકર તો ક્યારેક તદન શાંત, ક્યારેક વિકરાળ તો ક્યારેક દયાજનક. આજે આ મૃત્યુ ના થોડા રૂપો ને કવિઓ એ કેવી રીતે આલેખ્યા છે એ જોવાની ઈચ્છા થઈ. મનોજ ખંડેરીયા કહે છે કે મૃત્યુ એટલે શરીર માં થી સૂક્ષ્મ તત્વ ના ગમન ની ક્રિયા. કાયા માં થી વિખૂટી પડતી ચેતના ને જ એ મૃત્યુ માને છે. એ ઘટના ને કોઈ કહી દેશે મૃત્યુ અલગ થઈ જતી મારી કાયા ને હું મોત પછી મુક્તિ છે એ વાત ને જો માની લે તો એ કવિ શાના ? ઘાયલ તો કહે છે કે મોત પછી કોઈ ફરક નથી પડતો.. તને કોણે કહી દીધું મરણ ની બાદ મુક્તિ છે? રહે છે કેદ એ ની એ ફક્ત દિવાલ બદલે છે. હરિન્દ્ર દવે મૃત્યુ ને સૂક્ષ્મ રીતે જુએ છે, સ્થૂળ રીતે નહીં, તેઓ કહે છે મ્હેક માં મ્હેક મળી જાય તો મૃત્યુ ના કહો તેજ માં તેજ મળી જાય તો મૃત્યુ ના કહો રાહ જુદો જ જો ફંટાય તો મૃત્યુ ના કહો શ્વાસની લીલા સમેટાય તો મૃત્યુ ના કહો હેમેન શાહ તો વેદ ના પંચ તત્વ વાળા શરીર નું અનુમોદન અનોખી રીતે કરતા તેને વહેંચણી ની એક ક્રિયા કહે છે…. મૃત્યુ એટલે સમગ્ર જાત ને વહેંચવી વૃક્ષમાં, પહાડમાં, વિહંગમાં, જરા તરા ચંદ્રેશ શાહ તો કાળ ની મેલી મુરાદો જન્મ સાથે જ છતી થઈ જાય છે એમ કહેતા લખે છે કે જન્મની સાથે જ મૃત્યુ નો ચુકાદો હોય છે કાળ ની પણ […]